ETV Bharat / bharat

બોર્ડ કોઈ પણ જમીન, TTDની સંપત્તિ વેચશે નહીં: અધ્યક્ષ

author img

By

Published : May 29, 2020, 7:59 AM IST

તિરુમાલા તિરુપતિ દેવસ્તાનમ (TTD) બોર્ડે પુષ્ટિ આપી હતી કે, બોર્ડ ભવિષ્યમાં ટ્રસ્ટ સાથે સંકળાયેલી કોઈ પણ જમીન અને સંપત્તિનું વેંચાણ કરશે નહીં.

TTD
TTD

અમરાવતી: તિરુમાલા તિરુપતિ દેવસ્તનમ (TTD) બોર્ડના અધ્યક્ષ વાય.વી.સબ્બા રેડ્ડીએ ગુરુવારે કહ્યું હતું કે, બોર્ડ ભવિષ્યમાં ટ્રસ્ટની કોઈ જમીનો અને સંપત્તિ વેચવાનું નથી.

રેડ્ડીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે એક ઠરાવ પસાર કર્યો છે કે, બોર્ડ TTDની કોઈ જમીન કે સંપત્તિ વેચવાનો નથી. સંચાલક મંડળએ પણ સરકારને ટીટીડી વિરુદ્ધ દૂષિત ઝુંબેશની સંપૂર્ણ તપાસ કરવા જણાવ્યું છે.

"બોર્ડે આ ગેસ્ટહાઉસને સંપૂર્ણ પારદર્શક રીતે ફાળવવાનો નિર્ણય લીધો છે. શારીરીક અંતર જાળવવા અને ચહેરાના માસ્ક પહેરવા જેવા ધારાઓને અનુસરીને શ્રીવારી દર્શન ફરી શરૂ કરવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.