ETV Bharat / bharat

આસામના પૂરને કારણે 3 લોકોનાં મોત, પરિસ્થિતિમાં કોઈ જ સુધાર નથી

author img

By

Published : May 29, 2020, 12:45 PM IST

આસામમાં 24 કલાક બાદ પણ પૂરની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. પૂરના કારણે ગોલાપારામાં બે વ્યકિતના મોત થયાં છે. આ સાથે જ મૃતકોની કુલ સંખ્યા 3 થઇ છે.

assam
આસામ

ગુવાહાટી : આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. પૂરના કારણે ગોલાપારામાં બે વ્યકિતના મોત થયાં છે. આ સાથે મોતની સંખ્યા 3 થઇ ગઇ છે.

assam
આસામ

આસામ રાજ્ય પૂર પ્રબંધન પ્રધિકરણના અધિકારીઓએ જણાવ્યું છે કે, આસામમાં પૂરની પહેલી લહેરે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 2,94,170 લોકોને અસર કરી છે. આ પૂરને કારણે અત્યારસુધીમાં 21,572 હેક્ટર ખેતીની જમીનને અસર થઈ છે. જેના કારણે પાકને પણ અસર પહોંચી છે.

આ પૂરને કારણે અત્યારસુઘીમાં 16 હજારથી વધુ લોકો બેઘર થયાં છે. જેના કારણે અસરગ્રસ્ત લોકો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખોલવામાં આવેલા 80 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે.

assam
આસામ

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બ્રહ્મપુત્રા નદી ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધી અનેક સ્થળો પર ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી.

assam
આસામ
assam
આસામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.