ETV Bharat / bharat

રાજ્યપાલ આનંદીબેન પટેલનો મહત્વનો નિર્ણય, VIP સુરક્ષામાંથી 50 સુરક્ષાકર્મી ઘટાડવા માગ

author img

By

Published : Aug 18, 2019, 1:05 PM IST

લખનઉ: આનંદીબેન પટેલે એક મહત્વનો નિર્ણય કર્યો છે.ઉત્તર પ્રદેશના રાજ્યપાલે પોતાની સુરક્ષામાં તૈનાત 50 જવાનોને ઓછા કરવાની વાત કરી છે. રાજ્યપાલના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન લોકો માટે ખોલી દીધું હતું, જેથી હવે લોકો ત્યાં રાજવભનની ભવ્યતાને જોઈ શકે છે.

ફાઇલ ફોટો

VIP કલ્ચર ખત્મ કરવાના નિર્ણય પર રાજ્યપાલ આનંદીબેન પટેલે એક મહત્વનો નિર્ણય કર્યો છે.તેમણે પોતાની સુરક્ષામાંથી 50 જેટલા જવાનોને ઓછા કરી દીધા છે.આ છુટા કરાયેલા જવાનોને જનતાની સુરક્ષા કરવા માટે તૈનાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.