ETV Bharat / bharat

લાઉડ સ્પીકરમાં અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

author img

By

Published : May 15, 2020, 6:09 PM IST

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, માનવ અવાજમાં મસ્જિદોમાંથી અઝાનની પોકારી શકાય છે. કોર્ટે કહ્યું કે, અવાજ પ્રદૂષણ વિના સૂવાનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારમાં સામેલ છે. મહત્વનું છે કે, ગાઝીપુરના સાંસદ અફઝલ અન્સારીની અઝાન પર પ્રતિબંધ સામે દાખલ કરેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે મુખ્ય સચિવને આદેશ આપ્યો કે, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, લાઉડ સ્પીકર અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથી.

allahabad-high-court-on-azan-on-loudspeaker-from-mosques
લાઉડ સ્પીકર અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ: અલ્લાહાબાદ હાઈકોર્ટે મસ્જિદ પરથી અઝાન પોકારવા પર મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, લાઉડ સ્પીકર પર અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથી, જેથી માનવ અવાજમાં મસ્જિદોમાંથી અઝાન પોકારી શકાય છે.

કોર્ટે કહ્યું કે, અવાજના પ્રદૂષણથી મુક્ત નિંદ્રા કરવાનો અધિકાર એ જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. કોઈને પણ તેમના મૂળભૂત અધિકારો માટે અન્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી. જસ્ટિસ શશીકાંત ગુપ્તા અને ન્યાયાધીશ અજિતકુમારની ડિવિઝન બેંચે આ આદેશ અફઝલ અન્સારી અને ફરરૂખાબાદના શાયદ મોહમ્મદ ફૈઝલની અરજીઓનો નિકાલ કરતી વખતે આપ્યો છે.

નોંધનીય છે કે, કોરોના રોગચાળાને પહોંચી વળવા દેશમાં વ્યાપક ઉતાર-ચચાવને કારણે તમામ પ્રકારના કાર્યક્રમો અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ છે.

અરજીમાં અરજદારે રમજાન મહિનામાં અઝાનને મસ્જિદમાંથી બહાર ન આવવા દેવાની ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા ચીફ જસ્ટિસને પત્ર લખીને લાઉડસ્પીકરની માંગ કરી હતી. જો કે, મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરે એક જાહેર હિતની અરજી તરીકે સ્વીકારી અને સરકારની સાથે રહેવા કહ્યું હતું. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

જો કે, શુક્રવારે ચુકાદો આપતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું કે, લાઉડ સ્પીકર સાથે અઝાના પુકારવાની એ ઇસ્લામનો ધાર્મિક ભાગ નથી. જેથી લોઉડ સ્પીકરથી અઝાનને રોકવી યોગ્ય છે. કોર્ટે કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે સ્પીકર નહોતા ત્યારે પણ અઝાન થતી હતી. જેથી એમ કહી શકાય નહીં કે અઝાનને સ્પીકરમાંથી રોકવી એ આર્ટિકલ-25ની ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.

કોર્ટે કહ્યું કે, આર્ટિકલ 21 સ્વસ્થ જીવનનો અધિકાર આપે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કોઈને બીજાને બળજબરીથી સાંભળવાનો અધિકાર આપતી નથી. એક સ્થિર અવાજ સિવાય વધારાના અવાજની મંજૂરી મળતી નથી. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સ્પીકર પર અઝાન આપવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.