ETV Bharat / bharat

અયોધ્યા ભૂમિ ચુકાદા અંગે AIMPLBની બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

author img

By

Published : Nov 16, 2019, 6:37 PM IST

લખનઉઃ અયોધ્યા ભુમિ વિવાદનો ચુકાદો આવ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સાથે જોડાયેલી ચાર પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં ચુકાદા વિરુદ્ધ પુન:વિચાર અરજી દાખલ કરશે.

rere

અયોધ્યા ભુમિ વિવાદના નિર્ણય બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ચુકાદા પર પુન:વિચાર કરવાની અરજી દાખલ કરવામાં આવશે. જેને લઈ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ પક્ષકારો સાથે બેઠક યોજી હતી. નદવા કોલેજમાં યોજાયેલી આ બેઠકમાં સુપ્રિમ કોર્ટમાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ બેઠકમાં 4 પક્ષકારો હાજર રહ્યા હતાં. જ્યારે ઇકબાલ અન્સારી અને સુન્ની વકફ બોર્ડ આ બેઠકમાં સામેલ થયા નહોતા. બેઠક બાદ અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સમીક્ષા અરજી દાખલ કરવાની વાત બહાર આવી રહી છે.

નોંધનીય છે કે અયોધ્યા જમીન વિવાદ પર ગત 9 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે વિવાદીત જમીન પક્ષકાર રામલલાને આપવાની, મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવાની અને મુસ્લિમ પક્ષકારને અલગથી પાંચ એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો.

Intro:Body:

Ayodhya news


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.