ETV Bharat / bharat

Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની આગાહી

author img

By

Published : Dec 31, 2021, 12:53 PM IST

Updated : Dec 31, 2021, 2:27 PM IST

2022 માટે બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વેંગાની આગાહી (Baba Vanga Prediction)ઓ સામે આવી છે. તેમના મતે નવા વર્ષમાં પણ વિશ્વમાં કુદરતી આફતો અને વાયરસનો ખતરો મંડરાઈ રહેશે.

Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની ડરામણી આગાહી
Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની ડરામણી આગાહી

ન્યુઝ ડેસ્ક: નવું વર્ષ 2022 આવવાનું છે. ત્યારે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આવનારા વર્ષ વિશે આગાહીઓ કરવામાં આવી છે. જેમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી (Baba Vanga Prediction) પણ સામે આવી છે. બાબા વેંગા હવે દુનિયામાં નથી પરંતુ તેમના અનુયાયીઓ દર વર્ષે તેમની આગાહીઓ જાહેર કરે છે.

એલિયન આક્રમણની આગાહી

આ વખતે બાબા વેંગાના બોક્સમાંથી કોઈ સારા સમાચાર નથી. તેણે 2022માં નવી મહામારી (2022 Pandemic ) અને એલિયન આક્રમણની આગાહી (Alien invasion in 2022) કરી છે. તેમનું કહેવું છે કે, કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસ વર્ષ 2022માં દસ્તક આપી શકે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નવા વર્ષમાં વિશ્વમાં કુદરતી આફતો પણ આવશે. ઘણા દેશોમાં પાણીની ગંભીર કટોકટી જોવા મળશે. ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયન દેશોમાં ભયંકર પૂર આવશે.

બલ્ગેરિયાના એક રહસ્યવાદી સંત

બાબા વેંગા બલ્ગેરિયાના એક સંત રહસ્યવાદી (Mysterious saint of Bulgaria) હતા, જેઓ તેમની ભવિષ્યવાણીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેણે અમેરિકામાં અશ્વેત રાષ્ટ્રપતિ બનવાની જાહેરાત કરી દીધી હતી, ટ્વિન્સ ટાવર પર 9/11નો હુમલો (9-11 attack), પ્રિન્સેસ ડાયનાનું મોત, જે સાચું સાબિત થયું. ભારતમાં 2020માં તીડના હુમલા અંગે કરવામાં આવેલો દાવો પણ સાચો હતો. તે વર્ષે તીડએ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પાકનો નાશ કર્યો હતો. જો કે, તેમની તમામ આગાહીઓ હંમેશા સાચી ન હતી.

જોવાની ક્ષમતા ભવિષ્યવાણીની શક્તિમાં ફેરવાઈ

બાબા વેંગાએ દાવો કર્યો હતો કે, તેમની જોવાની ક્ષમતા ભવિષ્યવાણીની શક્તિમાં ફેરવાઈ ગઈ છે. ત્યારથી લોકો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ જાણવા ઉત્સુક હતા. માત્ર 12 વર્ષની ઉંમરે, બાબા વેંગાએ ભારે તોફાનનો ભોગ બનતા તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અનુયાયીઓ દાવો કરે છે કે, તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગા માનતા હતા કે, વર્ષ 5079 પછી વિશ્વનો અંત આવશે. તે અંધ હતી અને ભવિષ્ય વિશે તેણીએ તેના શબ્દો ક્યાં લખ્યા તે કોઈને ખબર નથી. તેમના અનુયાયીઓ દર વર્ષે આગાહીઓ જાહેર કરે છે.

આ પણ વાંચો: How do Fireworks Work? ક્યારેક વિચાર્યુ? ફટાકડા કેવી રીતે કામ કરે છે? એક આતશબાજી રસાયણશાસ્ત્રી સમજાવે છે કે...

આ પણ વાંચો: ભારતમાં ડેલ્ટાએ જે ખાનાખરાબી કરી એટલો ઘાતક નહીં હોય ઓમિક્રોન: વાઈરોલોજિસ્ટ

Last Updated :Dec 31, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.