ETV Bharat / bharat

Mumbai Cruise Drugs Case: આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

author img

By

Published : Oct 13, 2021, 8:51 AM IST

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી થશે. અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા આ મામલામાં કોર્ટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને એ જ દિવસે જવાબ દાખલ કરવાનું કહ્યું હતું.

Mumbai Cruise Drugs Case: આર્યન ખાનની જામીન અરજ પર આજે સુનાવણી
Mumbai Cruise Drugs Case: આર્યન ખાનની જામીન અરજ પર આજે સુનાવણી

  • મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી આર્યન ખાનનો મામલો
  • મુંબઈની કોર્ટમાં આજે આરોપી આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી
  • કોર્ટે આ મામલે NCBને જવાબ દાખલ કરવા કહ્યું હતું

મુંબઈઃ એક વિશેષ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, મુંબઈ તટ પર એક ક્રુઝ જહાજમાંથી પ્રતિબંધિત નશીલા પદાર્થ જપ્ત કરવાના મામલામાં ધરપકડ કરાયેલા આર્યન ખાનની જામીન અરજી પર આજે (13 ઓક્ટોબરે) સુનાવણી થશે. અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા આ મામલામાં કોર્ટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને એ જ દિવસે જવાબ દાખલ કરવાનું કહ્યું હતું. વિશેષ ન્યાયાધીશ વી. વી. પાટીલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) અધિનિયમથી સંબંધિત મામલાની સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, જામીન અરજી પર બુધવારે સુનાવણી થશે.

આ પણ વાંચો- આર્યનની ધરપકડ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું - આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી

આર્યનને ફસાવવામાં આવ્યોઃ બચાવ પક્ષનું રટણ

આ પહેલા NCBએ કહ્યું હતું કે, અરજી પર તાત્કાલિક સુનાવણી પણ આવશ્યક નથી. બ્યૂરોએ એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવાનો પણ અનુરોધ કર્યો હતો. જ્યારે બચાવ પક્ષે કહ્યું હતું કે, આર્યનને 'ફસાવવામાં આવ્યો' છે અને તેને જામીન પર છોડવાથી તપાસ નહીં રોકાય. આપને જણાવી દઈએ કે, NCBએ ગોવા જઈ રહેલા 'કોર્ડેલિયા ક્રુઝ' જહાજ પર દરોડા પાડ્યા પછી 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યન અત્યારે મુંબઈમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેણે ગયા સપ્તાહે જામીન માટે મિજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે, જામીન અરજી પર વિચાર કરવાનો તેમનો અધિકાર નથી. ત્યારબાદ આર્યને વિશેષ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો- સલમાન ખાને સાચી પાડી શાહરૂખ ખાનની આ વાત, જૂઓ વાયરલ વીડિયો

આર્યન પાસેથી કોઈ નશીલા પદાર્થન નથી મળ્યાઃ બચાવ પક્ષ

આર્યન ખાને પોતાની અરજીમાં કહ્યું હતું કે, તે નિર્દોષ છે અને તેણે કોઈ ગુનો નથી કર્યો. તેને આ મામલામાં ફસાવવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, એ બતાવવા માટે રેકોર્ડમાં કંઈ પણ નથી કે, અરજીકર્તા (આર્યન ખાન) કોઈ પણ નશીલા પદાર્થના ઉત્પાદન, નિર્માણ, પાસે રાખવા, વેચાણ કે ખરીદીથી જોડાયેલો છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, આર્યન ખાન પાસે કોઈ પણ આપત્તિજનક નશીલા પદાર્થ કે કોઈ અન્ય સામગ્રી નહતી મળી. તથા તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તે ફરાર થવાની કોઈ સંભાવના નથી. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ જ્યારે સોમવારે જામીન અરજીનો ઉલ્લેખ કર્યો તો NCBના વકીલો એ. એમ. ચિમલકર અને અદ્વૈત સેઠનાએ જવાબ આપવા અને એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મામલાની તપાસ હજી ચાલુ છે. એજન્સી દ્વારા ઘણી સામગ્રી પણ એકત્રિત કરવામાં આવી છે અને આ સ્તર પર એ જોવાની જરૂર છે કે, શું આર્યન ખાનને જામીન પર છોડવાના મામલાની તપાસમાં અડચણ આવશે કે નહીં.

આર્યનને જામીન આપવાથી NCBની તપાસ બંધ નહીં થાયઃ બચાવ પક્ષ

આરોપી આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે, આર્યનને જામીન પર છોડવાથી તપાસ બંધ નહીં થઈ જાય. NCB તપાસ ચાલુ રાખી શકે છે. આ તેમનું કામ છે, પરંતુ આર્યનને કસ્ટડીમાં રાખવો જરૂરી નથી. કારણ કે, તેની પાસેથી કંઈ પણ મળ્યું નથી. આર્યન ધરપકડ પછી એક સપ્તાહથી NCBની કસ્ટડીમાં છે અને 2 વખત તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેને જેલમાં રાખવાની શું જરૂર છે? આપને જણાવી દઈએ કે, આર્યન ખાન સામે NDPS અધિનિયમની ધારા 8 (સી), 20 (બી), 27, 28, 29 અને 35 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. NCBએ આ કેસમાં અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.