ETV Bharat / bharat

અનુરાગ ઠાકુરે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી

author img

By

Published : Sep 27, 2021, 11:05 AM IST

યુવા બાબતો અને રમત મંત્રાલય સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે દેશને પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ અપાવવા માટે સ્વચ્છ ભારત કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. તે 1 લી ઓક્ટોબરથી શરૂ થશે.

અનુરાગ ઠાકુરે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી
અનુરાગ ઠાકુરે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી

  • 1 ઓક્ટોમ્બરથી શરૂ થશે સ્વસ્છ ભારત મિશન
  • સમગ્ર દેશમાંથી 75 લાખ કિલો કચરો ભેગો કરવામાં આવશે
  • દરેક ગામ-શહેરમાંથી કચરો ભેગો કરવામાં આવશે

દિલ્હી: કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અને ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરએ લોકોને સ્વસ્છતા કાર્યક્રમમાં જોડાવવા અપિલ કરી છે. યુવા ક્રાયક્રમ અને ખેલ મંત્રાલય આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશને પ્લાસ્ટીકના કચરામાંથી મુક્તિ અપવવા માટે સ્વસ્છ ભારત અભિયાનમાં જોડવવા અપિલ કરી રહ્યા છે. આની શરૂઆત 1 ઓક્ટોમ્બરથી થશે. તેની હેઠળ દેશમાંથી 75 લાખ કિલોગ્રામ કચરો ભેગો કરવામાં આવશે.

દરેક ગામ-શહેર માંથી કચરો ભેગો કરવામાં આવશે

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે." અમૃત મહોત્સવ અને ગાંધી જંયતીની અવસર પર 1 થી 31 ઓક્ટોમ્બર સુધી દેશમાં સ્વસ્છ ભારત અભિયાન મિશન ચલાવવામાં આવશે. આ દુનિયાનું સૌથી મોટુ અભિયાન હશે". આ પહેલા તેમણે જણાવ્યું કે, " અભિયાન હેઠળ દકેક ગામ અને જિલ્લામાં કચરો ભેગો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેના હેઠળ દરેક ગામમાંથી 30 કિલોગ્રામ કચરો અને જિલ્લામાંથી 10080 કિલોગ્રામ કચરો ભેગો કરવામાં આવશે. એક સાથે આટલી મોટી માત્રામાં કચરો ભેગો કરતા સ્વસ્છતાની એક અલગ જ તસવીર સામે આવશે "

  • स्वच्छता सर्वोच्च है।#AzadiKaAmritMahotsav में आपसी सहयोग से देश को प्लास्टिक कूड़े से आजादी दिलाने के लिए संकल्प से सिद्धि मूल मंत्र द्वारा 1 से 31 अक्टूबर तक चलने वाले #CleanIndia कार्यक्रम से जुड़ें।

    रजिस्टर करें :👇🏻https://t.co/FkYaHYRfC5

    | @IndiaSports @Nyksindia | pic.twitter.com/uc4b60pIDs

    — Anurag Thakur (@ianuragthakur) September 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને

લોકભાગીદારી જરૂરી

તેમણ કહ્યું કે," આ અભિયાનના સફળતા માટે લોક ભાગીદારી જરૂરી છે, તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે. અભિયાન હેઠળ ગામને સુંદર બનાવવામાં આવશે. પરંપરાગત જળસ્ત્રોતોની વિશેષ સફાઈ કરવામાં આવશે. અલગ-અલગ બિનસરકારી, સ્વંયસેવી સંસ્થા, સામાજિક સંગઠનોને એકસાથે કરીને અભિયાનને સફળ બનાવવાનું લક્ષ્ય છે. આ અભિયાનમાં શિક્ષા અને ખેલનું વિશેષ યોગદાન હશે.

આ પણ વાંચો :RCB ના હર્ષલ પટેલે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો, મુંબઈના બેટ્સમેનો માટે ધાતક નિવડ્યો

વડાપ્રધાને કરી અપીલ

વડાપ્રધાન મોદીએ પણ મન કી બાતમાં સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે," જેમ ગાંધીજીએ સ્વસ્છતાને સ્વાધીનતાના સપના સાથે જોડી દીધી હતી તેમ વર્ષો બાદ દેશ ફરી એક વાર સ્વચ્છતાને નવા ભારતના સપના સાથે જોડવાનું કામ કરી રહ્યા છે." તેમણે કહ્યું ," આ વિષય માત્ર શાળાઓનો વિષય નથી પણ પેઢી દર પેઢી સ્વસ્છતા વિષે જાગૃતતા ફેલાવવાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.