લખનૌ: ગોરખનાથ મંદિર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીને સોમવારે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. લખનૌની NIA કોર્ટે 60 દિવસની સતત સુનાવણી બાદ અબ્બાસીને ફાંસીની સજા સંભળાવી. શનિવારે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 3 એપ્રિલ, 2022 ના રોજ, ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) ના સ્નાતક અબ્બાસીએ બળજબરીથી ગોરખનાથ મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો.
Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા
આ ઘટનામાં પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરીના બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ અબ્બાસીને કલમ 121 (ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાનો પ્રયાસ)માં મૃત્યુદંડ અને કલમ 307માં આજીવન કેદની સજા ફટકારી હતી.
Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
વિનય કુમાર મિશ્રાની ફરિયાદના આધારે 4 એપ્રિલ, 2022ના રોજ આ મામલે FIR દાખલ કરવામાં આવી હતી. મિશ્રાએ કહ્યું હતું કે અબ્બાસીએ 3 એપ્રિલે મંદિર પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર સિકલ વડે હુમલો કર્યો હતો, જેમાં બે પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. ધરપકડ સમયે તેના કબજામાંથી સિકલ મળી આવી હતી.
ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આ મામલાની તપાસ કરી હતી અને ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે પણ તેને સંભવિત આતંકી ઘટના ગણાવી હતી.