ETV Bharat / bharat

રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા

author img

By

Published : Aug 22, 2021, 9:02 AM IST

Updated : Aug 22, 2021, 9:19 AM IST

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સુરક્ષાની પરિસ્થિતી જોતા ભારતના નિકાસી અભિયાન હેઠળ રવિવાર સુધી લગભગ 300 ભારતિય નાગરિકોને સ્વદેશ લવાવાની આશા છે.

flight
રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયોને અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા

  • આજે વહેલી સવારે 87 ભારતીયો સ્વદેશ પરત ફર્યા
  • કાબુલમાં ફસાયેલા હતા આ નાગરીકો
  • એક અંદાજ મુજબ 400 નાગરીકો ફસાયેલા હોઈ શકે છે

દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, 87 નેપાળી નાગરીકોને લઈને ફ્લાઈટ કાબુલથી નિકળી તાજિકિસ્તાન થી દિલ્હી રવાના થયું છે, તેમણે કહેયું કે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને ઘરે લાવામાં આવી રહ્યા છે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે, AI 1956 લગભગ 87 ભારતીયોને લઈને તાજિકિસ્તાનથી દિલ્હી માટે ઉડાન ભરી છે. આમાં 2 નેપાળી નાગરીક પણ છે. પહેલા તેમને કાબુલથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લાવવવામાં આવ્યા હતા, હવે ત્યાથી એર ઈન્ડીયાની ફ્લાઈટ દિલ્હી આવી રહી છે. આ દરમિયાન ફ્લાઈટમાં ભારતીયઓએ ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

  • #WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board

    "Jubilant evacuees on their journey home,"tweets MEA Spox

    Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D

    — ANI (@ANI) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતિય અધિકારીઓએ કહ્યું કે, 80થી વધારે ભારતીયોને શનિવારે કાબુલથી ભારતીય વાયુ સેનાના એક સેન્ય પરીવહન વિમાન દ્વારા તજિકિસ્તાનની રાજધાની દુશાંબે લાવવામાં આવ્યા અને રવિવારે વહેલી સવારે એર ઈન્ડીયાની વિશેષ ફ્લાઈટમાં દિલ્હી પાછા લવવવામાં આવ્યા.

આ પણ વાંચો : કલ્યાણસિંહે BJPથી જ્યારે જ્યારે છેડો ફાડ્યો ત્યારે શું થયેલું ?

તેમણે જણાવ્યું કે, ભારતિય વાયુ સેના વિમાન દ્વારા લગભગ 100થી વધુ ભારતીયોને પાછા લાવી શકે છે. એ સિવાય 90થી વધુ ભારતીયોના એક સમૂહને જેમાં વધારે એવા લોકો હતા જે વિદેશી કંપનીઓમાં અફિઘાનિસ્તાનમાં કામ કરતા હતા તેમને અમેરીકા અને નાટોના વિમાન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા. રવિવારે આ જૂથ ભારત પરત ફરશે.

આ પણ વાંચો : Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતાનું નિધન

સોમવારે 40થી વધારે ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ ભારત પહોંચી હતી, ભારતીય ડિપ્લોમેટ્સ, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ સમેત 150 લોકોની સાથે બીજો સી-17 વિમાન મંગળવારે ભારત પહોંચશે. મંત્રાલયે ભારતીયો તેમજ તેમના એમ્પ્લોયરોને સંબંધિત અફઘાનિસ્તાન સેલ સાથે સંબંધિત વિગતો તાત્કાલિક શેર કરવા વિનંતી કરી છે. એક અંદાજ મુજબ, અફઘાનિસ્તાનમાં લગભગ 400 ભારતીયો ફસાયેલા હોઈ શકે છે અને અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે સંકલન સહિત ભારત તેમને બહાર કાઠવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Last Updated :Aug 22, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.