ETV Bharat / bharat

Andhra Pradesh News : આને કહેવાય "રામ રાખે તેને કોણ ચાખે", વાંચો એક ચમત્કારી કિસ્સો

author img

By

Published : Jun 22, 2023, 6:12 PM IST

પ્રચંડ દરિયામાં પડી ગયેલી વ્યક્તિનું જીવવું મુશ્કેલ જ નહીં, અશક્ય બની જાય છે. ત્યારે એક માની ન શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દરિયામાં ડૂબ્યાના 12 કલાક પછી પણ એક વ્યક્તિ જીવતો બહાર આવ્યાની જાણકારી મળી છે. આવી ચોંકાવનારી ઘટના આંધ્રપ્રદેશના કાકીનાડાની છે. વ્યક્તિનો જીવ કેવી રીતે બચ્યો જાણો આ ખાસ અહેવાલ

Andhra Pradesh News : આને કહેવાય "રામ રાખે તેને કોણ ચાખે", વાંચો એક ચમત્કારી કિસ્સો
Andhra Pradesh News : આને કહેવાય "રામ રાખે તેને કોણ ચાખે", વાંચો એક ચમત્કારી કિસ્સો

કોસીમા : આંધ્રપ્રદેશમાં દરિયામાં ડૂબી ગયેલો માછીમાર 12 કલાક બાદ જીવતો બહાર આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના કાકીનાડાના એક માછીમાર સાથે બની હતી. વાસ્તવમાં, આ માછીમાર બુધવારે દરિયાની અંદર માછીમારી કરવા ગયો હતો. તે દરમિયાન આ વ્યક્તિ દરિયામાં પડી ગયો હતો. તેણે તરીને બોટને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. તેણે સમુદ્રની વચ્ચેના મોટા મોજા સામે હાર ન માની અને તરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. તેણે પૂરા 12 કલાક સુધી તરીને પોતાને દરિયાની નીચે જતા બચાવ્યા અને પછી બીજી બોટના માછીમારોએ તેને બચાવી લીધો હતો.

માછીમારી કરવા ગયા : મળતી માહિતી મુજબ, કાકીનાડાના માછીમાર ગેંડાલા અપ્પારાવ ઘણીવાર માછલીપટ્ટનમથી બોટ લઈને અન્ય માછીમારો સાથે દરિયામાં માછીમારી કરવા જાય છે. મંગળવારે પણ, માછીમારી પછી ડૉ. બી.આર. આંબેડકર કોનાસીમા જિલ્લાના સખીનેતીપલ્લી મંડલના અંતરવેદી બંદરે ગયા હતા. અહીં તેણે માછલીઓ વેચી અને હંમેશની જેમ તે બપોરે ફરી માછલી પકડવા માટે દરિયામાં બોટ લઈને ગયો હતો.

રાત્રે બન્યો બનાવ : સૌ માછીમારોએ મળીને દરિયામાં જાળ નાખી અને દરેક વ્યક્તિ તેમની હોડી પર ભોજન કરીને સૂઈ ગયા હતા. સાથી માછીમારોનુ કહેવુ છે કે, જ્યારે તેઓ મધ્યરાત્રિએ જાગ્યા ત્યારે તેઓએ જોયું કે અપ્પારાવ તેમની બોટમાંથી ગાયબ છે. અમને શંકા હતી કે તે બોટમાંથી પડીને દરિયાની નીચે ઊંડે ગયો હશે, તેથી અમે તેની શોધ શરૂ કરી.

હું રાત્રે શૌચક્રિયા માટે બોટના કિનારા પર આવ્યો હતો. હું જ્યાં બોટ પર ઉભો હતો ત્યાં પકડવા કે ટેકો આપવા માટે કંઈ નહોતું. સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો. લપસી જતા સીધો દરિયામાં પડી ગયો. ત્યારે રાતના લગભગ 11 વાગ્યા હશે. તે પછી હું પાણીમાં મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરતો રહ્યો.-- ગેંડાલા અપ્પારાવ

હું બસ તરતો રહ્યો : દરિયામાં ડૂબતા બચી ગયેલા અપ્પારાવે વધુમાં જણાવ્યું કે, દરિયાના મોટાં મોજાંથી હું વહી જતો હતો, પણ તરીને હું ઉપરની તરફ રહેવા પ્રયાસ કરતો રહ્યો. સવાર સુધી હું તરતો રહ્યો અને તે દરમિયાન મને એક નાની હોડી પર નજર પડી. મેં તેમને ઈશારો કર્યો અને તેઓ મારી નજીક આવ્યા અને મને તેમની બોટમાં લઈ ગયા.

ચમત્કાર સમાન કિસ્સો : કહેવામાં આવી રહ્યું છે કે, અપ્પારાવને બચાવનાર વિશાખા જિલ્લાના નક્કાપલ્લી મંડલના રાજીપેટના માછીમારો છે. તેઓ અંતરવેદીથી શિકાર કરવા ગયા હતા. આ દરમિયાન તેણે એક વ્યક્તિને સમુદ્રના મોજાઓ સાથે લડતા જોયો અને તેની નજીક ગયા. તેને બચાવી અને તેની બોટમાં બેસાડી સલામત રીતે દરિયા કિનારે લાવ્યા. અપ્પારાવને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અપ્પારાવના પરિવારને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં અપ્પારાવ જીવતો મળી આવતા પરિવારની ખુશીનો પાર ન રહ્યો.

  1. Artificial Rain : IIT કાનપુરનો કમાલ, પાંચ હજાર ફૂટની ઊંચાઈથી કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ
  2. UP News: પતિના મુંબઈ જવાથી નારાજ પત્નીએ 3 બાળકો સાથે આત્મહત્યા કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.