ETV Bharat / bharat

કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 11 લોકોના મોત

author img

By

Published : Jan 15, 2021, 10:16 AM IST

કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત
કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

કર્ણાટકના ધારવાડ નેશનલ હાઇવે 4 માં આજે (શુક્રવાર) સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

  • કર્ણાટકમાં માર્ગ અકસ્માત
  • અકસ્માતમાં 11 લોકોના મોત, 9 ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

બેંગ્લુરૂઃ કર્ણાટકના ધારખાડ રાષ્ટ્રીય રાજમાર્ગ 4 માં આજે સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. વધુમાં જણાવીએ તો ટિપ્પર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કર્ણાટકમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

બસ પ્રવાસીઓને લઇ દાવણગેરેથી બેલગાવી જઇ રહી હતી. ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.