ETV Bharat / bharat

આઝાદીના 75 વર્ષ: ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી

author img

By

Published : Oct 9, 2021, 6:09 AM IST

પહેલાના અવિભાજિત બર્દવાન જિલ્લા (Bardhaman District)ના ખંડાઘોષ (Khandaghosh)માં ઘોષ પરિવારના નિવાસસ્થાનમાં આવેલા ભૂગર્ભ ભોંયરાની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ (Freedom Struggle) પર ઊંડી છાપ પડી હતી. તેમાં ભગત સિંહ (Bhagat Singh) અને તેમના સાથીઓ 15 દિવસ સુધી બ્રિટિશરોથી સંતાયા હતા, જ્યારે તેઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય વિધાનસભા પર હુમલાની યોજના ઘડી હતી. બટુકેશ્વર દત્ત, સિંઘના સહાયક ભોંયરા વિશે જાણતા હતા કારણ કે તેમના પૂર્વજોનું ઘર એ ઘરની બાજુમાં હતું.

ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી
ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી

  • બ્રિટિશરોથી બચવા માટે બટુકેશ્વર દત્તએ બતાવ્યું હતું ખંડાઘોષ
  • ખંડાઘોષમાં આવેલા દત્તના પૂર્વજોના ઘરની નજીકના ઘરમાં છૂપાયા હતા ભગતસિંહ
  • અહીં જ ભગત સિંહે દિલ્હી ખાતે વિધાનસભામાં હુમલાની યોજના બનાવી હતી

ખંડાઘોષ: સ્વતંત્રતા સંગ્રામમાં તત્કાલીન અવિભાજિત બર્દવાન જિલ્લાના ખંડાઘોષનું મહત્વ ક્રાંતિકારી ભગતસિંહના 'સહયોગી' તરીકે જાણીતા બટુકેશ્વર દત્તને (Batukeshwar Dutt) આભારી છે. દત્તએ સિંહની સાથે બ્રિટિશરોથી છૂપાવાના છેલ્લા ઉપાય તરીકે તેમના પૂર્વજોના નિવાસસ્થાન નજીક આવેલા ઘરમાં એક ભોંયરું શોધી કાઢ્યું હતું. લાલા લજપત રાય (Lala Lajpat Rai)ના મૃત્યુનો બદલો લેવા માટે તેઓએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વિધાનસભા પર હુમલાની યોજના બનાવી અને તે ભોંયરામાં 15 દિવસ રોકાયા હતા. હાલમાં આ ભોંયરાને સંગ્રહાલયમાં ફેરવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

ભગત સિંહ અને તેમના સાથીઓએ લાલા લજપતરાયના મોતનો બદલો લેવાનું નક્કી કર્યું

1928માં લાલા લાજપત રાયે સાયમન કમિશન (Simon Commission)સામે લાહોર ખાતે વિરોધ કૂચનું નેતૃત્વ કર્યું હતું. ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક જેમ્સ સ્કોટની સૂચનાઓને પગલે, રાયે કઠોર પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો અને થોડા દિવસો પછી તેમનું મૃત્યુ થયું. ક્રૂર ઘટનાથી રોષે ભરાયેલા ભગતસિંહે તેમના સહયોગી શિવરામ રાજગુરુ સાથે મળીને બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે ભૂલથી તેઓએ મદદનીશ પોલીસ અધિક્ષક જોન સોન્ડર્સની હત્યા કરી દીધી હતી. તેઓ ભાગી ગયા અને અંતે તત્કાલીન અવિભાજિત બર્દવાન જિલ્લાના ખંડાઘોષ ખાતેના ઉયારી ગામે પહોંચ્યા.

ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી

15 દિવસ સુધી ઘોષ પરિવારના ઘરમાં આવેલા ભોંયરામાં રહ્યા

દત્તનું પૈતૃક ઘર ત્યાં હતું. ત્યારબાદ, ખંડાઘોષમાં પણ પોલીસની ગતિવિધિઓમાં વધારો થયો. દત્તની બાજુનું ઘર ઘોષ પરિવારનું હતું. દત્તને તે ઘરમાં ગુપ્ત ભૂગર્ભ ભોંયરું હોવાની જાણ હતી અને તેમણે 15 દિવસ માટે ત્યાં આશ્રય લીધો હતો. કહેવામાં આવે છે કે સ્વતંત્રતા સેનાનીઓએ અહીંથી નવી દિલ્હીમાં કેન્દ્રીય વિધાનસભા પર હુમલાની યોજના બનાવી હતી. તેમણે 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારાઓ સાથે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

બાંકુરા ક્રોસિંગથી લગભગ 10 કિમી દૂર છે ઉયારી ગામ

તેલીપુકુર ક્રોસિંગ બર્દવાન રેલવે સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર છે. ત્યાંથી આરમબાગ રોડ દ્વારા અન્ય 4 કિલોમીટરની મુસાફરી બાંકુરા ક્રોસિંગ સુધી લઈ લઈ જાય છે. બાંકુરા ક્રોસિંગથી પશ્ચિમ દિશામાં અન્ય 10 કિલોમીટરની મુસાફરી કરતા ઉયારી ગામ પહોંચાય છે, જ્યાં દત્તાના પૂર્વજોનું નિવાસસ્થાન હતું. તેની બાજુનું ઘર ઘોષ પરિવારનું હતું, જ્યાં પ્રખ્યાત ગુપ્ત ભૂગર્ભ નિવાસસ્થાન હતું.

ઘરની સ્થાપથ્ય શૈલી ધ્યાન ખેંચનારી

આ મકાન અત્યારે જર્જરિત હાલતમાં છે. જો કે ઘરનો જૂનો ભાગ વસવાટ યોગ્ય ન હોવા છતાં પણ આ મકાનની સ્થાપત્ય શૈલી ધ્યાન ખેંચે છે. ઘોષ પરિવારના પૂર્વજો હવે જૂના મકાનને અડીને આવેલા નવા મકાનમાં રહે છે. જૂની ઇમારતના પ્રવેશ દ્વાર પછી ત્યાં એક બાલ્કની છે જ્યાં લાકડાના દરવાજા સાથે બે શોકેસ છે. દેખાય તે રીતે સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ ત્યાં શોકેસમાં સંગ્રહિત કરવામાં આવી હતી. પરંતુ હકીકતમાં તે શોકેસ ઐતિહાસિક ગુપ્ત ભૂગર્ભ ભોંયરામાં જવા માટેના એન્ટ્રી પોઇન્ટ્સ હતા, જેમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વ્યક્તિઓ સરળતાથી છુપાઈ શકે છે.

મકાનની સ્થાપત્ય શૈલી ધ્યાન ખેંચે તેવી છે
મકાનની સ્થાપત્ય શૈલી ધ્યાન ખેંચે તેવી છે

સરકારને ઘર સોંપવા પરિવાર તૈયાર

ઘરના વર્તમાન માલિકો જો તેમને વળતર આપવામાં આવે તો મકાન બચાવવા માટે સરકારને સોંપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પહેલેથી જ બટુકેશ્વર દત્ત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્યાં એક સંગ્રહાલય સ્થાપવા અને તેનું સંરક્ષણ કરવા માટે પગલાં ભરવામાં આવ્યા છે.

મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની માંગ

ઘોષ પરિવારની સભ્ય રેખા ઘોષે કહ્યું કે, "ગુપ્ત ભૂગર્ભ ભોંયરું સ્પષ્ટ રીતે દેખાતું નથી. અમે ઇચ્છીએ છીએ કે રાજ્ય સરકાર આ મકાનનો કબજો લે અને તેને મ્યુઝિયમમાં ફેરવે. જે દિવસે અમને વળતર મળશે તે દિવસે અમે તે જગ્યા ખાલી કરીશું."

મકાન સરકારને સોંપવા તૈયાર પરિવાર
મકાન સરકારને સોંપવા તૈયાર પરિવાર

દત્તાના પૂર્વજોના નિવાસસ્થાને છે સંગ્રહાલય

બટુકેશ્વર દત્તના નામે બનેલા ટ્રસ્ટના સેક્રેટરી મધુસુદન ચંદ્રા પાસે દત્તાના પૂર્વજોના નિવાસસ્થાને પહેલેથી જ એક સંગ્રહાલય છે. તેમણે કહ્યું કે, "અમે ઘોષ પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. સરકાર જેટલું ઝડપથી એ ઘર લેશે તેટલું ઝડપથી તે ઘરનું સંરક્ષણ થશે."

સરકાર દ્વારા ઘરનો કબજો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે

ઇતિહાસકાર સર્વજીત જશે કહ્યું કે, ભગતસિંહ અને તેમના સાથીઓએ 15 દિવસ સુધી ઘરના ભોંયરામાં આશરો લીધો હતો. રાષ્ટ્રીય વિધાનસભા પર હુમલાની યોજના ત્યાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સિંહ અને તેમના સાથીઓએ ત્યાં બોમ્બ હુમલો કર્યો હતો. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી. જે પણ તે ગામમાં આવે છે તે ભોંયરા વિશે પૂછપરછ કરે છે. રાજ્ય સરકાર દ્વારા તે ઘરનો કબજો લેવાની પ્રક્રિયા ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.