ETV Bharat / bharat

રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી

author img

By

Published : Nov 3, 2021, 12:29 PM IST

અયોધ્યામાં દિવાળી નિમિત્તે આયોજિત દીપોત્સવ કાર્યક્રમ (DEEPOTSAV PROGRAM OF AYODHYA)માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દીપોત્સવ કાર્યક્રમમાં 7 લાખ 50 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. દીપોત્સવ કાર્યક્રમ પહેલા 12000 સ્વયંસેવકોએ અયોધ્યાના ઘાટો પર દીવાઓને શણગાર્યા છે.

રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી
રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી

  • અયોધ્યાના દીપોત્સવમાં 7.30 લાખ દીપ પ્રગટાવવામાં આવશે
  • દીવાઓની હારમાળા વચ્ચે બનાવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર
  • 12000 સ્વયંસેવકોએ ઘાટને શણગાર્યો

અયોધ્યા: મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ, અયોધ્યાના પવિત્ર સરયુ નદી કાંઠાના કિનારે "રામ કી પૈડી" સંકુલ 3 નવેમ્બરે એક ભવ્ય કાર્યક્રમનું સાક્ષી બનશે. યોગી સરકાર પાંચમા વર્ષે આ કાર્યક્રમને ભવ્ય દેખાવ આપવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે રામ કી પૈડીના કિનારે 7 લાખ 50 હજાર દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ (world record) બનાવવાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે મોડી સાંજે રામ કી પૈડી સંકુલમાં તમામ દીવા લગાવી દેવામાં આવ્યા છે. હવે તે ક્ષણની રાહ જોવાઈ રહી છે, જ્યારે આ તમામ દીવાઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અન્ય મહેમાનોની સામે પ્રગટાવવામાં આવશે.

દીવાઓની હારમાળા વચ્ચે બનાવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર
દીવાઓની હારમાળા વચ્ચે બનાવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર

દીવાઓની હારમાળા વચ્ચે બનાવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર

ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ (DEEPOTSAV PROGRAM OF AYODHYA)નું આયોજન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષથી લોકો રામ નગરી અયોધ્યાના રામ કી પૈડી સંકુલમાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમના સાક્ષી બને છે.

આ પણ વાંચો: દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

દર વર્ષે પ્રસંગની ભવ્યતા વધતી જાય છે

આ વખતે પણ દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન લેસર શો અને રામ દરબાર ઉપરાંત રામ બજાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ આ 7.50 લાખ દીવડાઓ પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ આ ઘટનાથી કહી શકાય કે દર વર્ષે આ પ્રસંગની ભવ્યતા વધતી જાય છે.

દર વર્ષે પ્રસંગની ભવ્યતા વધતી જાય છે
દર વર્ષે પ્રસંગની ભવ્યતા વધતી જાય છે

12000 સ્વયંસેવકોએ ઘાટને શણગાર્યો

રામ કી પૈડી કેમ્પસમાં 7.50 લાખ દીવા લગાવવાની જવાબદારી નિભાવતા ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. મંગળવારે સાંજના અંત સુધીમાં સંકુલના તમામ ઘાટોમાં દીવાઓનો શણગાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા જ્ઞાન પ્રકાશ તિવારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે માત્ર 18 ઘાટો પર જ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, તે સમયે દીવાઓની સંખ્યા 5.30 લાખ હતી, પરંતુ આ વખતે 7.50 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના છે. આ વખતે અમે અમારી ટીમનો વિસ્તાર વધાર્યો છે. 12000 સ્વયંસેવકોની ટીમે મળીને 7.50 લાખ દીવા લગાવ્યા છે. સમગ્ર કેમ્પસમાં કુલ 9 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, જેમાંથી કેટલાક દીવાઓ સરયુ કિનારે પણ પ્રગટાવવામાં આવી રહ્યા છે. અમારી તૈયારીઓ પૂર્ણ છે, અમે આ વખતે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવીશું.

આ પણ વાંચો: દિવાળીના સમયે કોર્પોરેટ્સ ગિફ્ટસના બિઝનેસમાં 25થી 30 ટકાની વૃદ્ધિ: પૂર્વ પ્રમુખ-GCCI મહિલા વિંંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.