ETV Bharat / bharat

તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ ડૂબ્યા,શિક્ષક બચાવવા જતા એ પણ ખતમ

author img

By

Published : Nov 5, 2022, 7:53 PM IST

તળાવમાં તરવા માટે પડેલા (falling into a pond Medchal) વિદ્યાર્થીઓને બચાવવ જતા શિક્ષકનો પણ જીવ ગયો છે. હૈદરાબાદમાં બનેલી આ ઘટનાને લઈને વાલીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ ડૂબ્યા,શિક્ષક બચાવવા જતા એ પણ ખતમ
તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ ડૂબ્યા,શિક્ષક બચાવવા જતા એ પણ ખતમ

હૈદરાબાદ: તેલંગણાના મહાનગર હૈદરાબાદમાંથી એક હચમચાવનારા (falling into a pond Medchal) સમાચાર આવ્યા છે. જ્યાં શિક્ષક વિદ્યાર્થીઓને આનંદ કરવા માટે બહાર લઈ ગયા હતા. બાજુના તળાવ પાસે જ્યારે તેઓ રમતા હતા એ સમયે ભયાનક (Hyderbad police) ઘટના બની હતી. તળાવમાં તરવા ગયેલા વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા.. તેમને બચાવવા જતાં શિક્ષક પણ ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. આ ભયંકર દુર્ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે.

6 વ્યક્તિઓના મોત: તેલંગાણાના મેડચલ જિલ્લામાં એક ભયાનક દુર્ઘટના બની હતી. જવાહરનગર હેઠળ મલકરમમાં એરાગુંટા તળાવમાં તરવાથી છ લોકોના મોત થયા હતા. સ્થાનિકોએ આપેલી વિગતો મુજબ શિક્ષક સ્થાનિક મદરેસા શાળાના વિદ્યાર્થીઓને બહાર પ્રવાસ તરીકે લઈ ગયા હતા. વિદ્યાર્થીઓ તરવા માટે એરાગુંટા તળાવમાં ગયા હતા. તળાવ ઊંડું હોવાથી ડૂબતા વિદ્યાર્થીઓને બચાવવા શિક્ષક પણ તળાવમાં ગયા હતા.

બહાર ન આવી શક્યા: તમામ બાળકોએ શિક્ષકને પકડી લેતા તેઓ બહાર ન આવી શકતા પાણીમાં ડૂબી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યાર્ડના તરવૈયાઓ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક તમામ વિદ્યાર્થીઓની ઉંમર 12 થી 14 વર્ષની વચ્ચે હોવાનું જણાય છે. પોલીસે મૃતકની ઓળખ શહેરના કાચીગુડાના નહેરુનગર વિસ્તારના હોવાનું જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, મલકરમના મદરેસામાં વિશેષ તાલીમ વર્ગો માટે આવ્યા હતા. મૃતકોમાં ઈસ્માઈલ, જાફર, સોહેલ, અયાન, રિયાનનો સમાવેશ થાય છે. તેમને બચાવવા માટે તળાવમાં કૂદી પડનાર વ્યક્તિની ઓળખ યોહાન તરીકે થઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.