ETV Bharat / bharat

PM Mudra Loan: PM મુદ્રા યોજનાને 8 વર્ષ પૂર્ણ, અત્યાર સુધી 40 કરોડથી વધુ લોકોને અપાઈ લોન

author img

By

Published : Apr 8, 2023, 4:47 PM IST

40 કરોડથી વધુ લોકોને 23 લાખ કરોડ રૂપિયાની લોન
40 કરોડથી વધુ લોકોને 23 લાખ કરોડ રૂપિયાની લોન

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકોને 23 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે કયા જરૂરી દસ્તાવેજો જરૂરી છે, કેવી રીતે અને કેટલી લોન મળે છે તે જાણવા માટે વાંચો આ અહેવાલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. 8 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લાભાર્થીઓને 23.2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવામાં આવે છે.

નાણાપ્રધાને શું કહ્યું: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે 8 એપ્રિલ 2015ના રોજ આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી લઈને 24 માર્ચ 2023 સુધી 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ 23.2 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ લગભગ 68 ટકા ખાતાઓ મહિલા ઉદ્યોગસાહસિકો માટે છે અને 51 ટકા ખાતા SC, ST અને OBC વર્ગના ઉદ્યોગસાહસિકો માટે છે. મુદ્રા યોજનાએ પાયાના સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરવામાં મદદ કરી છે અને ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવાની સાથે ગેમ ચેન્જર સાબિત થઈ છે.

આ પણ વાંચો: RBI Monetary Policy: RBIના રેપો રેટમાં મોટી રાહત, નહીં આવે મોંઘવારીનો આચકો

લોન ત્રણ કેટેગરીમાં: પ્રથમ શ્રેણી શિશુ છે. આ અંતર્ગત લોકોને 50,000 રૂપિયાની ગેરંટી ફ્રી લોન મળે છે. બીજી શ્રેણી કિશોરો છે. જે અંતર્ગત 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી શ્રેણી તરુણ છે. જે અંતર્ગત 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 40.82 કરોડ લોકો દ્વારા આપવામાં આવેલી કુલ લોનમાંથી 33.54 કરોડ લોન શિશુ શ્રેણીની છે. બીજી તરફ કિશોર શ્રેણી હેઠળના 5.89 કરોડ લોકોને અને તરુણ હેઠળના 81 લાખ લોકોને લોન આપવામાં આવી છે.

  • Under #PMMY, loans are provided under three categories:
    ✅Shishu: covering loans up to Rs. 50,000/-
    ✅Kishore: covering loans above Rs. 50,000/- and up to Rs. 5 lakh
    ✅Tarun: covering loans above Rs. 5 lakh and up to Rs. 10 lakh#8YearsOfMudraYojana pic.twitter.com/UAoKjCtrmA

    — NSitharamanOffice (@nsitharamanoffc) April 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: PM Jan Dhan Yojana : PM જન-ધન યોજનાની અસર દેખાઈ, 9 વર્ષમાં ખાતામાં આટલા લાખ કરોડ જમા થયા

PMMY યોજના માટે જરૂરી દસ્તાવેજો: PM મુદ્રા યોજનામાંથી લોન લેવા માટે mudra.org.inની વેબસાઇટની મુલાકાત લો. લોન લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાર ID જેવા KYC દસ્તાવેજોની જરૂર પડશે. આ સ્કીમ હેઠળ બિઝનેસ માટે લોન લેવામાં આવતી હોવાથી બિઝનેસ સર્ટિફિકેટ અને બિઝનેસ એડ્રેસ પ્રૂફની પણ જરૂર પડશે. આ સ્કીમ હેઠળ તમે કોઈપણ સરકારી અથવા ખાનગી બેંકમાંથી લોન લઈ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.