ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 357ના મૃત્યુ

author img

By

Published : Apr 25, 2021, 10:46 AM IST

દિલ્હીમાં કોરોના
દિલ્હીમાં કોરોના

રાજધાની દિલ્હીમાં કોરોનાનો કુલ આંકડો હવે 10 લાખને પાર કરી ગયો છે. શનિવારે કોરોનાથી મૃત્યુઆંક 300થી વધૂ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 357 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, 24 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીઓનો દર 93 હજારને પાર કરી ગયો છે.

  • દિલ્હીમાં કોરોનાનો મૃત્યુઆંક ચિંતાજનક
  • કોરોનાના સંક્રમણનો દર 32.27 ટકા રહ્યો
  • એક્ટિવ કોરોના દર્દીઓનો દર 9.26 ટકા

નવી દિલ્હી : કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની સ્થિતિ સતત નાજૂક છે. ખાસ કરીને મૃત્યુના આંકડા ચિંતાજનક છે. શનિવારે એક જ દિવસમાં 300થી વધુ દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દર કલાકે 14થી વધૂ દર્દીઓએ જીવ ગૂમાવ્યો છે. શનિવારે કોરોનાના સંક્રમણનો દર 32.27 ટકા રહ્યો હતો. એક્ટિવ કોરોના દર્દીઓનો દર 9.26 ટકા છે.

24 કલાક દરમિયાન દિલ્હીમાં 74 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોના રિકવરીની વાત કરવામાંઆવે તો, શનિવારે આ દર 89.35 ટકા હતો. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 74 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને કોરોનાના 24,103 નવા કેસ નોંધાયા છે. આ વધારા પછી દિલ્હીમાં કોરોનાનો કૂલ આંકડો 10 લાખને પાર કરી 10,04,782 પર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 357 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જે પાછલા દિવસોમાં આ આંકડો 348 હતો.

આ પણ વાંચો : દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
કોરોનાથી કૂલ મૃત્યુઆંક વધીને હવે 13,898 પર પહોંચ્યો
શનિવારે થયેલા વધારા પછી દિલ્હીમાં કોરોનાથી કૂલ મૃત્યુઆંક વધીને હવે 13,898 પર પહોંચી ગયો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ દર હજી પણ 1.38 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 22,695 દર્દીઓને કોરોના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાને પરાજિત કરનારાઓની કૂલ સંખ્યા હવે વધીને 8,97,804 થઈ ગઈ છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. પ્રથમ વખત આ આંકડો 93 હજારને પાર થયો છે.

દિલ્હી હેલ્થ બુલેટિન
દિલ્હી હેલ્થ બુલેટિન

હોમ આઇશોલેસનમાંં 50,285 દર્દીઓ

દિલ્હીમાં કુલ 93,080 એક્ટિવ કોરોના દર્દીઓ છે. હોમ આઇશોલેસનમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ આંકડો પહેલીવાર 50 હજારને પાર થયો છે. અત્યારે હોમ આઇશોલેસનમાંં 50,285 દર્દીઓ છે. બેડની ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો, કોરોના હેલ્થ બુલેટિન અનુસાર, કુલ 19,622 બેડમાં અત્યારે 18,063 દર્દીઓ હજી છે અને 1,559 બેડ ખાલી છે. તે જ સમયે કોવિડ કેર સેન્ટરના 5,525 પથારીમાંથી 483 દર્દીઓ છે.

આ પણ વાંચો : કોરોનાએ કોંગ્રી નેતાનો લીધો ભોગ, દિલ્હીના પૂર્વ પ્રધાન એકે વાલિયાનું 72 વર્ષની વયે નિધન

24 કલાકમાં 74,702 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાના ઓછા ગંભીર દર્દીઓ માટે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં અત્યારે 5,042 બેડસ ખાલી છે. તે જ સમયે કોવિડ આરોગ્ય કેન્દ્રના 196 બેડમાંથી, 146 બેડમાં દર્દીઓ છે અને 50 બેડ ખાલી છે. દિલ્હીમાં કોરોના કન્ટેન્ટ ઝોનની સંખ્યા હવે વધીને 24,802 હજાર થઈ ગઈ છે. કોરોના ટેસ્ટનો ડેટા જોવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 74,702 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી, 42,346 ટેસ્ટ RTPCR માધ્યમ અને 32,356 એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પછી, દિલ્હીમાં કોરોના ટેસ્ટનો કુલ આંકડો 1,67,05,947 રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.