ETV Bharat / bharat

પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરના ત્રણ આતંકવાદીઓ ઠાર

author img

By

Published : Jun 12, 2022, 12:51 PM IST

પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા
પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ (Security Forces Encounter) માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા અને તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા (Terrorists Killed in Pulwama Encounter) હતા. હાલ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

પુલવામાઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ત્રણ આતંકીઓને ઠાર કર્યા (Terrorists Killed) છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની સંગઠન લશ્કર-એ તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ (Terrorists Killed in Pulwama Encounter) છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લશ્કરના 2 આતંકી ઠાર

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે અને તેઓ લશ્કર સાથે સંકળાયેલા હતા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હતા અને તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. હાલ, વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા : પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. માહિતી આપતાં વિજય કુમારે જણાવ્યું કે, આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ આતંકવાદીઓમાંથી એકની ઓળખ જુનૈદ શેરગોજરી તરીકે થઈ છે જે જમ્મુ-કાશ્મીરના વિશેષ પોલીસ અધિકારી રિયાઝ અહેમદ થોકરની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો : અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ : જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટરમાં (Pulwama Encounter) માર્યા ગયેલા અન્ય બે આતંકવાદીઓની (Terrorists Killed In Pulwama) ઓળખ પુલવામા જિલ્લાના રહેવાસી ફાઝીલ નઝીર ભટ અને ઈરફાન અહ મલિક તરીકે થઈ છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, તેમની પાસેથી બે એકે 47 રાઈફલ અને એક પિસ્તોલ, દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.