ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા, માત્ર કેરળમાં 17,983 કેસ

author img

By

Published : Sep 25, 2021, 10:44 AM IST

Updated : Sep 25, 2021, 2:03 PM IST

દેશમાં કોરોનાની બીજી લહેર હજી પણ યથાવત્ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોના મોત થયા છે. તો 28,046 લોકો કોરોનાથી સાજા થયા છે. આમાંથી 17,983 કેસ તો માત્ર કેરળમાં નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 137 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45,97,293 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 24,318 થઈ છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા, માત્ર કેરળમાં 17,983 કેસ
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા, માત્ર કેરળમાં 17,983 કેસ

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 28,046 દર્દી સાજા થયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 290 લોકોના મોત થયા, 137 કેરળમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું જોખમ હજી પણ યથાવત્ છે. અહીં દરરોજ કોરોનાના નવા કેેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા કોરોનાના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,616 કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોના મોત થયા છે. સાથે જ 28,046 લોકો સાજા થયા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કેરળમાં સૌથી વધુ કેસ

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે. કેરળમાં શુક્રવારે કોરોનાના નવા 17,983 કેસ નોંધાયા છે. જ્યારે 127 લોકોના મોત થયા છે, જેનાથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 45,97,293 થઈ છે. અહીં મૃતકોની સંખ્યા 24,318 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે જણાવ્યું હતું કે, કોરોનાના 1,62,846 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી માત્ર 12.6 ટકા જ હોસ્પિટલમાં દાખલ છે.

આ તમામની વચ્ચે શુક્રવારે 15,054 લોકો બીમારીથી સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 44,09,530 થઈ છે. પ્રધાને વધુમાં કહ્યું હતું કે, 18 વર્ષથી વધુ વયના 91.3 ટકા કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને આ ઉંમરના 39 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.

  • India reports 29,616 new COVID cases, 28,046 recoveries, and 290 deaths in the past 24 hours. Recovery Rate currently at 97.78%

    Active cases: 3,01,442
    Total recoveries: 3,28,76,319
    Death toll: 4,46,658

    Vaccination: 84,89,29,160 (71,04,051 in the last 24 hours) pic.twitter.com/Jnlqu4UbyB

    — ANI (@ANI) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3,36,24,000 લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4,46,658 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધી 3,28,76,000 લોકો સાજા થયા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ જેટલી છે. કુલ 3,01,000 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના કુલ કેસઃ 3,36,24,419

કુલ ડિસ્ચાર્જઃ 3,28,48,273

કુલ સક્રિય કેસઃ 3,00,162

કુલ મોતઃ 4,46,368

કુલ રસીકરણઃ 84,15,18,000

84 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, 23 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 83,89,29,160 કોરોનાની રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ગઈકાલે 71.04 લાખ રસી લગાવવામાં આવી હતી. જ્યારે ICMRના મતે, અત્યાર સુધી 56.16 કરોડ કોરોનાના ટેસ્ટ કરાયા છે. ગઈકાલે 15.92 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.78 ટકા છે. જ્યારે સક્રિય કેસ 0.89 ટકા છે. તો કોરોનાના સક્રિય કેસ મામલામાં વિશ્વમાં ભારત હવે 8મા સ્થાન પર છે.

આ પણ વાંચોઃ Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, 12 દર્દીઓએ આપી કોરોનાને માત

આ પણ વાંચોઃ યુરોપીયન દેશોમાં ભારત-નિર્મિત કોવિશિલ્ડને માન્યતા નહીં, ઘાનાએ કરી આલોચના

Last Updated : Sep 25, 2021, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.