ETV Bharat / bharat

ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે 26 દર્દીઓના નીપજ્યા મોત

author img

By

Published : May 12, 2021, 9:29 AM IST

ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે 26 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ મોત મંગળવારે સવારે 2થી 6 વાગ્યા દરમિયાન થયા છે. આ ઘટના બાદ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે મંગળવારે સવારે કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવના મુદ્દાની તપાસ માટે તેમણે બોમ્બે હાઈકોર્ટને વિનંતી કરી છે.

ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે 26 દર્દીઓના નીપજ્યા મોત
ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે 26 દર્દીઓના નીપજ્યા મોત

  • ગોવા મેડિકલ કોલેજમાં ટ્રક ચલાવતા નિષ્ણાંત ડ્રાઇવરોના અભાવને કારણે ઓક્સિજનની અછત થઇ હતી
  • ઓક્સિજનની અછતના કારણે 26 લોકોના મોત નીપજ્યાં હતાં
  • દાખલ દર્દીઓના પરિવારજનોએ રાત્રે ઓક્સિજન સપ્લાયમાં ઘટાડો થવાની ફરિયાદ કરી હતી

પણજી: ગોવા સરકારે કહ્યું છે કે, ગોવા મેડિકલ કોલેજમાં ટ્રક ચલાવતા નિષ્ણાંત ડ્રાઇવરોના અભાવને કારણે ઓક્સિજનની અછત થઇ હતી, જેના કારણે 26 લોકોના મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, રાજ્ય સરકારે બોમ્બે હાઇકોર્ટને ગોવા મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવના મુદ્દાની તપાસ કરવા અને આરોગ્ય સુવિધામાં કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત

1,200 સિલિન્ડરની જગ્યાએ 400 જ મળ્યા હતા

મંગળવારે કોવિડ વોર્ડમાં 26 દર્દીઓના મોતની પુષ્ટિ કરતાં ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું હતું કે, "હું હાઈકોર્ટને વિનંતી કરું છું કે, તે મૃત્યુની વ્યવસ્થા ગેરવહીવટ અથવા ઓક્સિજનના અભાવને કારણે થઇ છે કે કેમ તે તપાસ કરે." રાણેએ કહ્યું કે, અમને 1,200 (જમ્બો) સિલિન્ડરો જોઈએ, પરંતુ ગઈકાલે અમને માત્ર 400 જ મળ્યા હતા.

સાવંતે કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓના પરિવારજનો અને સંબંધીઓને પણ મળ્યા હતા

સાવંતે મંગળવારે સવારે કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી, જેમાં બે ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં. સાવંત કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓના પરિવારજનો અને સંબંધીઓને પણ મળ્યા હતા, જેમણે રાત્રે ઓક્સિજન સપ્લાયમાં ઘટાડો થવાની ફરિયાદ કરી હતી. જીએમસી અધિકારીઓ સાથેની બેઠક બાદ સાવંતે કહ્યું હતું કે, નિષ્ણાંત ડ્રાઈવરોના અભાવને લીધે આરોગ્ય સુવિધામાં અનિયમિત ઓક્સિજનનો પ્રવાહ થયો છે.

GMCને દરરોજ 400 વધારાના ઓક્સિજન સિલિન્ડરો પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે

સાવંતે કહ્યું હતું કે, એકવાર ઓક્સિજન સિલિન્ડરો અહીં પહોંચ્યા પછી તેઓ (વોર્ડ) સુધી પહોંચતા નથી. આ અગ્રતાનો મુદ્દો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બુધવારે ચાર નિષ્ણાંત ડ્રાઇવરો અને ટ્રેકટર (ઓક્સિજન સિલિન્ડરની ફેરી કરવા માટે) લાવવામાં આવશે. સાવંતે એમ પણ કહ્યું હતું કે, GMCને દરરોજ 400 વધારાના ઓક્સિજન સિલિન્ડરો પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવશે કે, કટોકટીનો સામનો કરવા માટે 20 ટનનો ઓક્સિજન ટાંકી પણ આઠથી દસ દિવસની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ તિરૂપતિ: ઓક્સિજન ટેન્કરની રાહ જોતા 11 દર્દીઓના ઓક્સિજનના અભાવને કારણે થયા મોત

ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ યુનિટ લેવા સરકાર અચકાશે નહીં

મુખ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે, હોસ્પિટલના મુખ્ય ઓક્સિજન પ્રદાતા સ્કૂપ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે ઉચ્ચ સરકારી આરોગ્ય સુવિધામાં પુરવઠા સંકટ સામે પહોંચી વળવામાં સક્ષમ ન હોવાની જવાબદારી લેવી જોઈએ અને ચેતવણી આપી હતી કે, ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ યુનિટ લેવા સરકાર અચકાશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.