ETV Bharat / bharat

તિરુપતિ મંદિર પાસે આટલી છે સંપતિ, જાણો સમગ્ર માહિતી

author img

By

Published : Nov 6, 2022, 7:10 PM IST

તિરુપતિ મંદિર પાસે 2.26 લાખ કરોડની સંપત્તિ
2-dot-26-lakh-crore-assets-10-tonnes-of-gold-15900-crore-cash-with-tirupati-temple

તિરૂપતિ મંદિરની (Tirumala Tirupati Devasthanam) સંપત્તિને સરકારી બોન્ડ્સ (Government bonds) અને આંધ્રપ્રદેશ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણની જે બાબતો સોશિયલ મીડિયામાં (Social media) પ્રસારિત થઇ હતી તેને ટ્રસ્ટ તરફથી નકારી કાઢવામાં આવી છે. જેને લઈને મંદિરની કુલ સંપત્તિને લઈને એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જાણો કેટલું સમૃદ્ધ છે તિરૂપતિ મંદિર?

તિરુપતિ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (Tirumala Tirupati Devasthanam) એ શનિવારે એક શ્વેતપત્ર (white paper) બહાર પાડ્યું અને ફિક્સ્ડ ડિપોઝિટ અને ગોલ્ડ ડિપોઝિટ સહિત તેની સંપત્તિઓની યાદી જાહેર કરી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેની પાસે રૂપિયા 5,300 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 10.3 ટન સોનાની થાપણો છે અને રૂપિયા 15,938 કરોડની રોકડ થાપણ (Cash deposit) છે. જ્યારે ભગવાન વેંકટેશ્વર મંદિરને સમર્પિત મંદિરની કુલ નેટવર્થ રૂપિયા. 2.3 લાખ કરોડની છે જે ભારતના સૌથી ધનિક મંદિરમાંથી એક (One of the richest temples in India) છે. ટ્રસ્ટે સોશિયલ મીડિયાના (Social media) અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા કે ટ્રસ્ટના અધ્યક્ષ અને બોર્ડે ભારત સરકારના બોન્ડ્સ (Government bonds) અથવા આંધ્રપ્રદેશ સરકારની સિક્યોરિટીઝમાં વધારાના ભંડોળનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.

શ્વેતપત્ર જાહેર: અહેવાલોને ખોટા અને ખોટા ગણાવતા TTD, EO અને ધર્મા રેડ્ડીએ 30 જૂન 2019 અને 30 સપ્ટેમ્બર 2022 વર્તમાન TTD બોર્ડ અને તેના અધ્યક્ષની મુદત વચ્ચે કરેલા તેના રોકાણો અને સોનાની થાપણો પર એક શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. TTDએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના નિયમો મુજબ તેણે H1 વ્યાજ દરે અનુસૂચિત બેંકોમાં રોકાણ કર્યું હતું. TTD દિશાનિર્દેશો અનુસાર ગોલ્ડ ડિપોઝિટ માટે સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતી શેડ્યૂલ બેંકોમાંથી જ ક્વોટેશન મંગાવવામાં આવ્યા હતા.

15,938 કરોડની રોકડ થાપણ: અગાઉ દોઢ વર્ષ પહેલાં TTD ના ટ્રસ્ટી મંડળે એક શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં તેની 960 મિલકતો છે. તેમાં ખેતીની જમીન તેમજ પ્લોટ અને ઈમારતોનો સમાવેશ થાય છે. કહેવાય છે કે આની કિંમત રૂપિયા સરકારી દરો પ્રમાણે 75,000 કરોડ જ્યારે બજાર મૂલ્ય બેથી ત્રણ ગણાથી વધુ હોવાનો અંદાજ છે. મંદિર પાસે રૂપિયા 5,300 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 10.3 ટન સોનાની થાપણો છે અને રૂપિયા 15,938 કરોડની રોકડ થાપણ છે. મંદિર દ્વારા થતી આવક ભક્તો, વ્યવસાયો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા દાનમાંથી આવે છે.

દાનની દ્રષ્ટિએ સૌથી ધનિક મંદિર: આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર પદ્મનાભ મંદિર પછી ભારતનું બીજું ધનવાન મંદિર છે. દાન મેળવવાની દ્રષ્ટિએ તે વિશ્વનું સૌથી ધનિક મંદિર હોવાનું કહેવાય છે. ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર સમુદ્ર સપાટીથી 2800 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. મંદિરની માસિક આવક 200 થી 220 કરોડ હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, દરરોજ 50 હજારથી એક લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે છે, જ્યારે વાર્ષિક બ્રહ્મોત્સવ અને તહેવારોમાં ભક્તોની સંખ્યા વધીને 4-5 લાખ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.