ETV Bharat / assembly-elections

જનસભામાં ભીડ એકઠી કરવાની સ્ટ્રેટજી, ગુજરાત ચૂંટણી માટે લાખોની મેદનીનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે જાણો

author img

By

Published : Nov 23, 2022, 10:08 PM IST

જનસભામાં ભીડ એકઠી કરવાની સ્ટ્રેટજી, ગુજરાત ચૂંટણી માટે લાખોની મેદનીનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે જાણો
જનસભામાં ભીડ એકઠી કરવાની સ્ટ્રેટજી, ગુજરાત ચૂંટણી માટે લાખોની મેદનીનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે જાણો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર ( Political Party Campaign for Gujarat Election) કરી રહી છે. દિગ્ગજ નેતાઓ (PM Modi Rahul Gandhi Arvind Kejriwal ) મોટી સંખ્યામાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે ઘણીવાર સવાલ થાય કે આટલા મોટા પ્રમાણમાં ભીડ ( Strategy of Political Parties For Public Meeting )કઇ રીતે એકઠી થઇ જતી હશે અને તેનું મેનેજમેન્ટ કેવી રીતે થતું હશે. જવાબ જૂઓ ETV ભારતના આ વિશેષ અહેવાલમાં...

રાજકોટ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) માં પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં તમામ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર ( Political Party Campaign for Gujarat Election) ક કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી મેદાનમાં પીએમ મોદી રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ પણ (PM Modi Rahul Gandhi Arvind Kejriwal ) જોવા મળી રહ્યા છે. જયારે દિગ્ગજ નેતાઓની સભાઓ અને રેલીઓમાં મોટી સંખ્યામાં ભીડ ( Political parties public gatherings ) એકઠી કરવામાં આવે છે. ત્યારે ઘણીવાર સવાલો ઊભા થાય છે કે આટલા મોટા પ્રમાણમાં લોકો કેવી રીતના એકઠા થતા હશે. તેમજ લાખોની મેદનીનું મેનેજમેન્ટ ( Strategy of Political Parties For Public Meeting ) કેવી રીતના કરવામાં આવે છે. ત્યારે જોઈએ ETV ભારતના આ વિશેષ અહેવાલમાં.

લોકોને એકઠા કરવા માટે અગાઉથી જ ટાર્ગેટ આપવામાં આવે છે

કાર્યકર્તાને 100 લોકોનો ટાર્ગેટ અપાય છે ગત 21 તારીખના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ( Rahul Gandhi ) રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. ત્યારે તેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આ મામલે ( Strategy of Political Parties For Public Meeting ) કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે લોકોને એકઠા કરવા માટે અગાઉથી જ ટાર્ગેટ આપવામાં આવે છે. જ્યારે પક્ષના કાર્યકર્તાઓ ઠેર ઠેર જઈને પ્રચાર કરે છે અને એક કાર્યકર્તાઓને 100 લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને સભા સ્થળે લઈ આવવાની પણ જવાબદારી રહે છે.

એક કાર્યકર્તાઓને 100 લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે
એક કાર્યકર્તાઓને 100 લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે

શહેરી વિસ્તારમાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને અપાય છે ટાર્ગેટ જ્યારે કોઈ શહેરમાં દિગ્ગજ નેતાની જનસભા યોજાતી હોય એવામાં જે તે શહેરના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને લોકોને એકઠા કરવાની જવાબદારી ( Strategy of Political Parties For Public Meeting ) આપવામાં આવે છે. જ્યારે આ લોકોને સભા સ્થળે સમયસર લઈ આવવા અને સભા પૂરી થાય ત્યારે સમયસર તેમને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. આ સાથે જ સભામાં આવનાર તમામ લોકોનો જમવાનું પીવાની પીવાના પાણી સહિતની વ્યવસ્થા પણ જવાબદાર વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતી હોય છે.

1 લાખ સુધી લોકોની જનમેદની કરાય છે એકઠી કોઈપણ રાજકીય પક્ષના મોટા નેતા આવે ત્યારે મોટા પ્રમાણમાં જનમેદની એકઠી કરવામાં આવે છે. જેમાં 15 દિવસ અગાઉથી જ આ સમગ્ર પ્લાનિંગ ( Strategy of Political Parties For Public Meeting ) કરવામાં આવતું હોય છે. જે તે વિસ્તારના કોર્પોરેટરો, સરપંચો, કાર્યકર્તાઓ સહિતના પક્ષના હોદ્દેદારોને આ જવાબદારી આપવામાં આવતી હોય છે. જ્યારે અમુક સમયે ડ્રેસ કોડ પણ આપવામાં આવતા હોય છે. આ બધી ચોક્કસ તૈયારીઓ બાદ જ આ મોટી સંખ્યામાં લોકોને સભા સ્થળે લઈને આવવામાં આવે છે. જ્યારે સભા સ્થળે પણ આ લોકો હોય ત્યારે કોઈ પણ જાતની અગવડતા ના સર્જાય તેની પણ ખાસ સંભાળ રાખવામાં આવે છે.

રાજકીય નિષ્ણાત જ્વલંત છાયાનો અભિપ્રાય જ્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ અખબારના તંત્રી જ્વલંત છાયાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અલગ અલગ પક્ષોની પોતાની સ્ટ્રેટેજી ( Strategy of Political Parties For Public Meeting ) હોય છે. જેમાં વોર્ડ પ્રમુખો, પ્રમુખો, કાર્યકર્તાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સાથે જ હાલમાં સોશિયલ મીડિયામાં પણ લોકોને વધુમાં વધુ કેવી રીતના ભેગા કરી શકાય તે પ્રમાણેના મેસેજ વાઇરલ કરવામાં આવતા હોય છે. જો કોઈ મોટા નેતાની રેલી હોય તો નક્કી કરેલા એક સ્થળે વાહન ઉભું રાખવામાં આવે છે અને ત્યાં લોકોને બોલાવવામાં આવે છે. આમ અલગ અલગ પદ્ધતિ અલગ અલગ પક્ષ દ્વારા અપનાવવામાં આવતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.