ETV Bharat / assembly-elections

નવા પ્રધાન મંડળમાં કોને મળશે સ્થાન? કોનું પત્તુ કપાઇ શકે છે? જુવો ETVનો વિશેષ અહેવાલ

author img

By

Published : Dec 9, 2022, 7:57 PM IST

Updated : Dec 9, 2022, 9:23 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election 2022)વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી(Cabinet And Ministers Of State) રહી છે.

નવા પ્રધાન મંડળમાં કોને મળશે સ્થાન
likely-to-include-all-disctirct-in-cabinet-and-ministers-of-state-in-new-gujarat-government

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં (gujarat assembly election 2022)પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ (Cabinet And Ministers Of State)કરી દીધી છે. હવે નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ (Cabinet And Ministers Of State)શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા પ્રધાનમંડળમાં (Cabinet And Ministers Of State)એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે રાજુનામું આપ્યું છે અને 12 ડિસેમ્બર ના રોજ બપોરે 2 કલાકે નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ગ્રહણ (Cabinet And Ministers Of State)કરશે ત્યારે નવી સરકાર માં ક્યાં ધારાસભ્યોને સ્થાન પ્રાપ્ત થશે તે માટે જુવો ETV ભારત નો વિશેષ એહવાલ

કયા મુદ્દાને ધ્યાનમાં લઈને પ્રધાનોની થાય છે પસંદગી: ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈપણ રાજકીય પક્ષ હોય જો તે પક્ષ સત્તામાં આવતું હોય ત્યારે અમુક પ્રકારની ગણતરી અને ગ્રાઉન્ડની હકીકત જાણીને પ્રધાનોની પસંદગી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં બેસનારી સરકારમાં ગુજરાતના તમામ ઝોન અને જિલ્લામાંથી નેતાઓની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ પ્રધાનમંડળ બનાવવામાં (Cabinet And Ministers Of State)આવે છે.

તમામ જિલ્લાને આપવામાં આવશે પ્રધાન્ય: વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપને 156 જેટલા બેઠકથી બહુમત પ્રાપ્ત થયો છે ત્યારે 12 ડિસેમ્બર યોજવામાં આવી શપથવિધિના કાર્યક્રમમાં તમામ જિલ્લાઓને ખાસ દાદાને આપવામાં આવશે અને તમામ જિલ્લાઓમાંથી ભાજપના ધારાસભ્યોને સ્થાન સાથે જ વિધાનસભા અધ્યક્ષ અને વિધાનસભાના દંડક અને ઉપદંડક તરીકેની પસંદગી કરવામાં આવશે, આમ મળતી માહિતી પ્રમાણે તમામ જિલ્લાને ન્યાય મળે તેને ધ્યાનમાં રાખીને 22 જેટલા પ્રધાનોને નવા મંત્રી મંડળમાં સ્થાન (Cabinet And Ministers Of State)આપવામાં આવશે.

સંભવિત પ્રધાન કેબીનેટ:

કેબિનેટ પ્રધાન
કેબિનેટ પ્રધાન

શંકર ચૌધરી: ઉત્તર ગુજરાત નો ચૌધરી સમાજનો સૌથી મોટો ચહેરો અને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં રાજયકક્ષાના પ્રધાન તરીકે સાંભળી હતી જવાબદારી. 2017ની ચૂંટણીમાં હાર થતા પરિણામના દિવસે જ કર્યું હતું મહાશક્તિ પ્રદર્શન.

ઋષિકેશ પટેલ: ભુપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી (Cabinet And Ministers Of State) હતી. કોરોના બાદ ડોક્ટરોના પ્રશ્નો હતા તેમાં ડોકટરના વિરોધો વગર તમામ આંદોલન શાંત પાડ્યા હતા. વિસનગરમાં વિપુલ ચૌધરીની અર્બુદા સેનાનો વિરોધ છતાં લીડ સાથે વિજેતા બન્યા છે

રાઘવજી પટેલ: કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. ભાજપ સરકારની ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનની સરકારમાં કૃષિપ્રધાન તરીકે જવાબદારી સંભાળી (Cabinet And Ministers Of State)હતી. જ્યારે ભાજપ પક્ષ હંમેશા સૌરાષ્ટ્રમાંથી કૃષિપ્રધાન નિમણુંક કરે છે. રાઘવજી પટેલ પોતે ખેડૂત છે.

કેબિનેટ પ્રધાન
કેબિનેટ પ્રધાન

શંભુપ્રસાદ ટૂંડિયા: સમગ્ર દેશમાં દલિત સમાજના સંત તરીકે ઓળખાય છે. જ્યારે અગાઉ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022ની ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી જીતી આવ્યા છે. ટૂંડિયાને કેબિનેટમાં સામાજિક ન્યાય વિભાગ પ્રાપ્ત થઈ (Cabinet And Ministers Of State) શકે છે.

જયેશ રાદડિયા: પોરબંદર લોકસભામાં અને જેતપુરમાં ખૂબ જ પ્રખ્યાત છે. જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. જેતપુરની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જયેશ રાદડિયાનું પ્રભુત્વ છે અને વિજય રૂપાણીની સરકારમાં પણ કેબિનેટ પ્રધાન રહી (Cabinet And Ministers Of State)ચૂક્યા છે.

જીતુ વાઘાણી: વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ 99 બેઠક પર જીત મેળવી હતી. તે સમયમાં પાટીદાર આંદોલન દલિત સમાજનું આંદોલન અને અલ્પેશ ઠાકોરનું ઓબીસી સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન ભાજપ હારવા ઉપર હતી પરંતુ જીતુ વાઘાણીએ ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ હતા અને 99 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી (Cabinet And Ministers Of State)સંભાળી હતી.

કેબિનેટ પ્રધાન
કેબિનેટ પ્રધાન

રમેશ ટીલાળા: રાજકોટ શહેર અને પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ છે. રમેશ ટીલાળા ખોડલધામ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે ત્યારે પાટીદાર સમાજને ધ્યાનમાં રાખીને પણ પ્રધાનનું સ્થાન પ્રાપ્ત થઈ (Cabinet And Ministers Of State) શકે છે.

કનુ દેસાઈ: ભુપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રજાનો પોત પોતાના વિભાગને લઈને ચર્ચામાં હતા પરંતુ સરકારનો મહત્વનો વિભાગ એવો નાણાં વિભાગના પ્રધાન કનુભાઈ દેસાઈ કોઈપણ પ્રકારની ચર્ચામાં આવ્યા ન હતા. નાણા વિભાગ જેવા મસ્ત મોટો વિભાગ પણ સંભાળ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં કનુ દેસાઈનો (Cabinet And Ministers Of State) મોટો ચહેરો છે.

અલ્પેશ ઠાકોર: ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર જીત મેળવી છે અને જ્યારે 2019 ની પેટાચૂંટણી બાદ પણ અલ્પેશ ઠાકોર પ્રધાન બનવાના હતા પણ 2019 ની ચૂંટણીમાં હારી જતા સપનું અધૂરું રહ્યું હતું. ગુજરાતમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં ઠાકોર સેના ચલાવે છે.

કેબિનેટ પ્રધાન
કેબિનેટ પ્રધાન

કીરીતસિંહ રાણા: લીમડી બેઠક પરથી સતત જીતતા આવ્યા છે. ક્ષત્રીય હોવાને કારણે પ્રધાન પદ મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબીનેટ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પૂર્ણેશ મોદી: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતનો સારો ચહેરો તરીકે ઓળખાય છે. કાર્યકર્તાઓમાં સારું નામ, OBC ફેક્ટર કામ લાગી શકે છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં માર્ગ અને મકાન વિભાગ રાતો રાત પરત લેવાયો હતો.

ગણપત વસાવા: આદિવાસી ચહેરો અને વિજય રૂપાણીની સરકારમાં કેબીનેટ તરીકેની જવાબદારી સંભાળી હતી. સી.આર.પાટીલની નજીકના ગણવામાં આવે છે. જો ભાજપ કેબીનેટનો દરજ્જો નહીં આપે તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે.

કેબિનેટ પ્રધાન
કેબિનેટ પ્રધાન

કનુ પટેલ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ નામાંકન કરવા કનુ પટેલ સાથે પહોંચ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કનુ પટેલનું સામ્રાજ્ય અને નામના જોવા મળી રહી છે. જો કનુ પટેલને ન મળે તો હાર્દિક પટેલને સ્થાન મળી શકે છે.

કાંતિ અમૃતિયા: મોરબી દુર્ઘટનામાં સૌથી પહેલા મદદ માટે પહોંચ્યા હતા અને મોરબી જિલ્લાનું મોટું નામ છે. સાથે જ મોરબી જિલ્લામાં પણ સૌથી વધુ લીડરથી જીત મેળવી છે.

પુરષોત્તમ સોલંકી: પુરુષોત્તમ સોલંકી દરિયાઈ વિસ્તારના ખૂબ મોટા અને દિગ્ગજ નેતા માનવામાં આવે છે. જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સતત જીતા આવ્યા છે અને વિજય રૂપાણીની સરકારમાં મત્સ્ય વિભાગની જવાબદારી હતી. આ ઉપરાંત તેઓ દબંગ નેતા તરીકેની પણ છાપ ધરાવે છે કોળી સમાજમાં ખૂબ મોટું પ્રભુત્વ છે.

પંકજ દેસાઈ: છ ટર્મથી ભાજપના વિજય ઉમેદવાર છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે પ્રથમ વખત તેઓને સરકારના પ્રધાન તરીકેની જવાબદારી મળી શકે છે.

સંભવીત રાજયકક્ષાના પ્રધાનો:

રાજ્યકક્ષાના પ્રધાન
રાજ્યકક્ષાના પ્રધાન

હર્ષ સંઘવી: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ખાસ વ્યક્તિ તરીકે અને સૌથી યુવા ધારાસભ્યો છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહ પ્રધાનની જવાબદારી સંભાળી(Ministers Of State In New Gujarat Government) હતી. પોલીસનું આંદોલન પણ સારી રીતે ટેકલ કર્યું હતું.

જગદીશ પંચાલ: અમદાવાદ પૂર્વ વિસ્તારનો ચહેરો અને ઓબીસી નેતા તરીકે જાણીતા છે. જગદીશ પંચાયત પટેલની સરકારમાં રાજ્યકક્ષામાં માર્ગ મકાન વિભાગ અને ઉદ્યોગ વિભાગની મહત્વની જવાબદારી સંભાળી (Ministers Of State In New Gujarat Government)હતી.

રાજ્યકક્ષાના પ્રધાન
રાજ્યકક્ષાના પ્રધાન

મહેશ કસવાલા: લાંબા સમય સુધી ભાજપના પ્રવક્તા રહ્યા છે અને ભાજપ અમરેલી જિલ્લાની બેઠક ઉપર જીતી શકતી નથી તે બેઠક ઉપર મહેશ કસવાલાને ઉતાર્યા હતા અને તેઓએ સારી લીડ સાથે બેઠકમાં જીત(Ministers Of State In New Gujarat Government) મેળવી છે.

સંગીતા પાટીલ: મહિલા તરીકે તેમને બાળ અને મહિલા વિભાગની જવાબદારી સોંપાઈ શકે છે. સંગીતા પાટીલ દક્ષિણ ગુજરાતનો મોટો ચહેરો પણ (Ministers Of State In New Gujarat Government)માનવામાં આવે છે.

જે.વી.કાકડીયા: ધારી બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પેટા ચૂંટણીમાં ભાજપ તરફી જીત મેળવી 2022 ની ચૂંટણીમાં પણ જીત મેળવી અને અમરેલી જિલ્લામાંથી તેઓને પ્રધાન તરીકે જવાબદારી સોંપવામાં આવી (Ministers Of State In New Gujarat Government)શકે છે.

રાજ્યકક્ષાના પ્રધાન
રાજ્યકક્ષાના પ્રધાન

અક્ષય પટેલ: અક્ષય પટેલ મધ્ય ગુજરાતનું સારા નેતા હતા અને મુખ્યપ્રધાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સત્તા ઉપર હતા ત્યારે તેમની સામે જ અપક્ષ લડીને તેઓ ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા(Ministers Of State In New Gujarat Government) હતા.

અમિત ઠાકર: વર્ષોથી વેજલપુર વિધાનસભા પરથી જીત મેળવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ખાસ માનવામાં આવી રહ્યા છે અને અમિત શાહની લોકસભામાં આવેલ વેજલપુર વિધાનસભાના જીતેલ ઉમેદવાર છે.

'નો રિપીટ' થીયરી લાગુ નહીં: વિજય રૂપાણીને રાજીનામા બાદ ભાજપ 'નો રીપીટ' થિયરી લાગુ પાડી હતી અને એક પણ જુના પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પક્ષ નવી સરકારની રચનામાં 'નો રિપીટ' થિયરી લાગુ કરશે નહીં. આમ 2022ની નવી સરકારમાં જૂની સરકારના પ્રધાનોને ફરી સ્થાન આપવામાં આવશે. અમુક 5થી 6 જેટલા ધારાસભ્યોને પ્રધાન તરીકેની સત્તા પ્રાપ્ત કરશે.

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને સોપાશે જવાબદારી: વર્ષ 2024ના એપ્રિલ માસની આસપાસ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે 2022ની નવા મંત્રીમંડળમાં ઝોન પ્રમાણે ભાજપના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. વર્ષ 2024 લોકસભાની જવાબદારીને ધ્યાનમાં લઈને જ નવી સરકારની રચના કરવામાં આવશે. જેથી લોકસભાની તમામ બેઠકો પર ભાજપ ફરી સત્તા પ્રાપ્ત કરી શકે.

વિધાનસભા અધ્યક્ષ કોણ?: વિધાનસભા અધ્યક્ષ ની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ દ્વારા જે જિલ્લામાંથી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું હોય તેવા જિલ્લામાંથી વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. વર્ષ 2022ના પરિણામોને ધ્યાનમાં લઈને વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણભાઈ વોરા પણ છે. જો કેબિનેટમાં સ્થાનમાં મળે તો ભૂતકાળમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળનારા એવા ગણપત વસાવાનું નામ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે અગ્રેસર છે.

અંતિમ નિર્ણય કેન્દ્રીય મહુડી મંડળના હાથમાં: ગુજરાત વિધાનસભાની વર્ષ 202 ની ચૂંટણીમાં ભાજપ પક્ષે 156 બેઠકો જીતી નથી સૌથી વધુ અને મોટો બહુમત પ્રાપ્ત કર્યો છે. વર્ષ 2017 ના પરિણામ જેવી પરિસ્થિતિ થઈ નથી જેને લઈને ગુજરાતમાં નવી સરકારનો અંતિમ નિર્ણય પણ કેન્દ્રીય મંડળ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં સરકારમાં કોણે-કોણે સ્થાન આપવામાં આવશે તેનો પણ મોટાભાગનું નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જ કરી શકશે. નવા મંત્રીમંડળ બાબતે રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી નિવાસ્થાન ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ગુજરાત પ્રદેશના પ્રભારી રત્નાકરજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં પણ સંભવિત ચહેરાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી હતી.

Last Updated : Dec 9, 2022, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.