ETV Bharat / assembly-elections

ગુજરાતીઓને બદનામ કરનારાઓથી ચેતજોઃ વડાપ્રધાન મોદી

author img

By

Published : Nov 20, 2022, 9:28 AM IST

ગુજરાતીઓને બદનામ કરનારાઓથી ચેતજોઃ વડાપ્રધાન મોદી
ગુજરાતીઓને બદનામ કરનારાઓથી ચેતજોઃ વડાપ્રધાન મોદી

ગુજરાતમાં આવેલા નરેન્દ્ર મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચારનું (Election Campaign Gujarat 2022) એલાન કરી દીધું છે. રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં બેક ટુ બેક મુલાકાત કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ (Gujarat Assembly Election 2022) અને જે.પી.નડ્ડા બાદ નરેન્દ્ર મોદીએ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી છે. જેમાં તેમણે કોઈ વિપક્ષનું નામ લીધા વગર ચાબખા માર્યા છે.

વલસાડઃ ગુજરાતની મુલાકાતે પ્રચાર ((Election Campaign Gujarat 2022) અભિયાન હેતું આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડમાં મહાસાભા યોજી હતી. જેમાં તેમણે ચૂંટણીલક્ષી વાતો કરીને ગુજરાતીઓને ચેતવાનો સંદેશ આપ્યો છે. કેમ છો વ્હાલા વલહાડવાળા...એવું કહીને(Gujarat Assembly Election 2022) તેમણે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વલસાડથી તેમણે પોતાની પહેલી સભા યોજી છે. વલસાડમાં તેમણે વિધાનસભા ચૂંટણી માટેની પ્રથમ પ્રચાર સભા ગજવી છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra modi BJP) જણાવ્યું હતું કે, આ વખતેની ચૂંટણીમાં સતર્ક રહેજો. ગુજરાતને બદનામ કરવાની ટુકડી આવી ભાષાઓ બોલી રહી છે.

આકરા પ્રહારોઃ ગુજરાતમાં જુઠ્ઠાણા ફેલાવનારા, દુનિયામાં (PM Narendra Modi Valsad) ગુજરાતની છબી ખરાબ કરનારા એક ચોક્કસ કામ કરી રહ્યા છે. આવા લોકોથી ચેતતા રહેજો, ગુજરાતીઓએ દુનિયામાં કોઈનું કંઈ બગાડ્યું નથી. ગુજરાતી જ્યાં પણ ગયા ત્યાં દુધમાં સાકળ (PM Modi Gujarat) ની જેમ ભળી ગયા હતા. ગુજરાતામાં જે કોઈ આવ્યા એને ગળે લગાવીને કામ કર્યું છે. ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને ક્યારેય ગુજરાતમાં કોઈ જગ્યા નથી મળવાની. ગુજરાતને કેટલાક લોકો રીવર્સ ગેરમાં નાંખવા માગે છે. આવા લોકોને આપણે ક્યારેય નહીં સ્વીકારીએ. આ માટે ઘરે ઘરે જઈને કહેજો કે, નરેન્દ્રભાઈ આવ્યા હતા. આ વખતેની ચૂંટણી કોઈ ઉમેદવાર નહીં પણ જનતા લડે છે. નરેન્દ્ર મોદી લડે છે એવું કંઈ નથી.

ચૂંટણી સભા નથીઃ વલસાડ જિલ્લાની આ કોઈ ચૂંટણીસભા નથી. ગુજરાતની પ્રજાનો વિજયનાદ છે. ગુજરાતના આ યુવાનોએ ચૂંટણીને ઉપાડી લીધી છે. પ્રજાના નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ રહી છે. પ્રજા વિજય પતાકા લહેરાવવા માટે નીકળી છે. ભાજપનો વિજય પાક્કો છે. ચૂંટણીના તમામ સર્વે ભાજપનો વિજય બતાવે છે. હું તમારો સેવક છું.22 વર્ષથી હું પલાઠીં વાળીને બેઠો નથી. જેટલી થઈ શકે એટલી સેવા કરી છે. દેશના નાગરિક તરીકે દેશના તમામ લોકોને હિસાબ આપવો મારી ફરજ છે. ભારતની પ્રગતિનો જે ડંકો વાગે છે એ મોદીને કારણે નહીં પણ વોટની તાકાતને કારણે વાગે છે. દેશમાં આજે કમળ ખીલી ગયું છે.

વિપક્ષ પર વારઃ કોંગ્રેસના સમયમાં મોબાઈલ ફોનમાં એક જીબી માટે રૂપિયા 300 આપવા પડતા, બિલ આવતું. મોદી સરકારમાં માત્ર દસ રૂપિયાનું બિલ આવે છે. મોબાઈલના વપરાશને ધ્યાને લઈને કોંગ્રેસ શાસન સાથે આ બિલની તુલના કરાય તો ચારથી પાંચ હજાર રૂપિયા બિલની બચત થાય એમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.