ETV Bharat / assembly-elections

1 ડીસેમ્બરે કચ્છની 6 બેઠક પર મતદાન, 16 લાખથી વધુ મતદાતાના હાથમાં સત્તાવાંછુઓની શાખ, પોલિંગ બૂથ વગેરે માહિતી આ રહી

author img

By

Published : Nov 29, 2022, 5:01 PM IST

Updated : Nov 29, 2022, 6:30 PM IST

1 ડીસેમ્બરે કચ્છની 6 બેઠક પર મતદાન, 16 લાખથી વધુ મતદાતાના હાથમાં સત્તાવાંછુઓની શાખ
1 ડીસેમ્બરે કચ્છની 6 બેઠક પર મતદાન, 16 લાખથી વધુ મતદાતાના હાથમાં સત્તાવાંછુઓની શાખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પહેલા તબક્કાના મતદાનમાં (First Phase poll) કચ્છની 6 બેઠકો પર મતદાન યોજાશે. 1 ડીસેમ્બરે કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અબડાસા અને રાપર વિધાનસભા બેઠકનો ( Kutch Assembly Seats ) સમાવેશ થાય છે. આ બેઠકો પરના મતદાનમાં ભાજપ કોંગ્રેસ અને આપ સહિત કુલ 55 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું પહેલા તબક્કાનું મતદાન ( First Phase poll) થવા આડે 24 કલાક પણ બાકી નથી. ગુજરાતનો આ સૌથી મોટો જિલ્લો અને પાકિસ્તાન સરહદ અડતી હોવાને લઇને સંવેદનશીલ આવો જિલ્લાની 6 બેઠક ધરાવે છે. કચ્છમાં ભુજ ( Kutch Assembly Seats ), ગાંધીધામ, અંજાર, માંડવી અબડાસા અને રાપર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પહેલી ડીસેમ્બરે મતદાન થશે. આ 6 બેઠકમાં મહત્ત્વના ઉમેદવારો તરીકે નીમાબેન આચાર્યની જગ્યાએ ઉમેદવાર બનેલા કેશુ પટેલ, સીટ બદલાવીને લડી રહેલા વીરેન્દ્રસિંહ જાડેજા અને મહેશ્વરી સમાજના અન્ય ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં આવેલા માલતી મહેશ્વરીની શાખ દાવ પર છે. ભાજપ કોંગ્રેસ અને આપ સહિત અન્ય પક્ષો અને અપક્ષો મળીને કુલ 55 ઉમેદવારો કચ્છની 6 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

કચ્છમાં બિગ ફાઇટ સીટ કચ્છની તમામ બેઠકમાં ( Kutch Assembly Seats )અંજાર વિધાનસભા બેઠકનો જંગ ખરાખરીનો Big Fight Seat in Kutch છે. કારણ કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ અપાઇ છે. છેલ્લાં 2 ટર્મથી અહીં વાસણ આહીર ચૂંટાતા હતાં. તેઓનું આ વખતની ચૂંટણીમાં પત્તુ કપાયું છે. ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર તરીકે ત્રિકમ છાંગા કે જેઓ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. તેમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે અરજણ રબારી અને કોંગ્રેસમાંથી રમેશ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. આમ, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. બીજી બિગ ફાઇટ સીટ ગાંધીધામ વિધાનસભા બેઠક છે જ્યાં મહેશ્વરી સમાજના બેે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહેશે. ભાજપ માલતી મહેશ્વરી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે બુધાભાઇ મહેશ્વરી આપમાંથી પડકાર આપી રહ્યાં છે જેને લઇને આ બેઠક પર ધ્યાન રહેશે. 6 બેઠક પૈકી 1 રાપર બેઠક જ કોંગ્રેસ પાસે હતી અને તેના પર હવે માંડવી વિધાનસભા બેઠક પર શક્તિસિંહ ગોહિલને મ્હાત આપનાર વિરેન્દ્રસિંહ જાડેજાને રાપર બેઠક પર ભાજપે ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગત ટર્મ ના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા ના પતિ ભચુભાઈ આરેઠિયાને ટિકિટ આપી છે

કચ્છમાં પ્રચારમાં મહત્ત્વના બનેલા મુદ્દા કચ્છના અંજારમાં પીએમ મોદીએ સોમવારે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે યાદ કરાવેલા મુદ્દાઓને મહત્ત્વના મુદ્દા તરીકે જોઇએ તો કચ્છની તમામ બેઠકો માટે એકસરખા પ્રમાણમાં નર્મદાના પાણીનો મુદ્દો ખૂબ જ સ્પર્શે છે. એટલે અંજારની સભામાં પીએમ મોદીએ ખેડૂતોને વિવિધ યોજનાઓથી મળેલા લાભ, પશુપાલનઉદ્યોગનો વિકાસ, બાગાયતી પાક સહિત હળવા ધાન્યની ખેતીની વધેલી સમૃદ્ધિનું વર્ણન મોદીએ કર્યું હતું. તો કચ્છમાં પર્યટન વિકાસ, ઇન્ટરનેટ સુવિધાઓ, સૂકા વિસ્તારોમાં લીલોતરી માટે વનનિર્માણ, કંડલા બંદરનો વિકાસ. આગામી સમયમાં આવનારા પ્રોજેક્ટમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા પર ભાર મૂક્યો હતો. તો સામે વિપક્ષના પ્રચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભા કરી હતી જ્યાં તેમણે આપેલી ચૂંટણી ગેરન્ટીઓની વાત દોહરાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી એવો કોઇ મોટા નેતાનો મજબૂત પ્રચાર કચ્છમાં જણાયો નથી.અહીં સ્થાનિક રાજકારણનો પ્રભાવ જોતાં ચૂંટણીમાં કોઈ સમસ્યાના મુદ્દાઓ જેવા કે નર્મદાના પાણી, રોડ રસ્તા, ગટર વગેરે જેવા પ્રશ્નો ચૂંટણીને અસર કરતાં નથી માત્ર જ્ઞાતિ ધર્મ અને ચહેરો જ અસર કરે છે તેમ માનવામાં આવે છે. કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકી માટેના સમર્થન માટેની જાહેર સભામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવકતા મોહનપ્રકાશ સાથે કોંગ્રેસના હોદ્દેદારો જોવા મળ્યાં હતાં.

કચ્છમાં બેઠકોનું ગણિત કચ્છ જિલ્લામાં જાતિ સમીકરણની વાત કરીએ તો, અહીયાં આહીર, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો વધારે સંખ્યામાં છે. ત્યાર બાદ રબારી, બ્રાહ્મણ, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમ જ ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે. જે જ્ઞાતિના ઉમેદવારોને આગામી વિધાનસભામાં (Gujarat Elections) ટિકિટ મળે તેનું પલડું ભારે થઈ શકે છે. કચ્છના શહેરી વિસ્તારો (Kutch Locality) જેવા કે, ભુજ, ગાંધીધામ જેવા વિસ્તારો કે, જ્યાં ટેલિવિઝનનો પ્રભાવ હોય પ્રચાર પસાર થતો હોય તેમ જ ભણેલા ગણેલા લોકો વધારે હોય તેવા વિસ્તારની સીટો ભાજપને આવી શકે છે. ગાંધીધામની જે સીટ છે. તે અનામત સીટ છે, ત્યાં ભાજપને સીટ મળી શકે છે કારણ કે ત્યાં મુસ્લિમ મતદારો છે. તે ભાજપના પક્ષના (Kutch assembly seats) છે. ભુજની સીટ પણ ભાજપને મળી શકે છે તથા માંડવીની સીટ પણ ભાજપને મળી શકે છે. આ વખતે 3 સીટ ભાજપને અને 3 સીટ કૉંગ્રેસને મળી શકે છે.

કચ્છમાં મતદારોની સંખ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat assembly election 2022) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કચ્છમાં 2017ની તુલનાએ 2,06,668 નવા મતદારોનો ઉમેરો થયો છે. જે પૈકી 21,388 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કચ્છના ચૂંટણી વિભાગ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી અનુસાર કચ્છ જિલ્લામાં કુલ 16,34,674 મતદારો નોંધાયા છે. કઇ બેઠક પર કેટલા મતદાર વિધાનસભા બેઠક મુજબ વિગતો અનુસાર અબડાસા બેઠક પર 2,53,096 મતદારો નોંધાયા છે. માંડવી બેઠક પર 2,57,359, ભુજ બેઠક પર 2,90,952, અંજાર બેઠક પર 2,70,813, ગાંધીધામ અનામત બેઠક પર 3,14,991 અને રાપર બેઠક પર કુલ 2,47,463 મતદારો નોંધાયા છે.તો તમામ બેઠક પરના 16,34,674 મતદારોને EPIC ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે.

કચ્છના 1172 મતદાન મથકોના 1860 પોલીંગ બૂથ પર થશે મતદાન મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં 1172 મતદાન મથકો પર 1860 પોલીસ બૂથ ઊભા કરવામાં આવશે. જે પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે. અબડાસા બેઠકના 321 મતદાન મથકો પર 379 બૂથ, માંડવી બેઠકના 184 મતદાન મથકો પર 286 બૂથ, ભુજ બેઠકના 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના 164 મતદાન મથકો પર 292 બૂથ, ગાંધીધામ બેઠકના 141 મતદાન મથકો પર 309 બૂથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલીસ બૂથ ઊભા કરવામાં આવશે.

કચ્છમાં EVM VVPAT અને સ્ટાફ કચ્છ જિલ્લાને આગામી વિધાનસભા મત વિભાગ માટે M3 પ્રકારના ફાળવણી કરવામાં આવી છે EVM - VVPAT ની ફાળવણી કરવામાં આવી છે.જેમાં 2955 BU, 2624 CU તો 2886 VVPAT મશીનોની એફ.એલ.સી.બાદ ફાળવણી કરવામાં આવી છે જે પૈકી 125-125-125 તાલીમ માટે ફાળવવામાં આવેલ છે.માટે મતદાન મથક માટે ઉપયોગમાં લેવામાં આવનાર મશીનની સંખ્યાની વાત કરવામાં આવે તો 2830 BU, 2499 CU તો 2761 VVPAT મશીનોની મતદાન મથક માટે બાદ ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણીની વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ,કાયદો અને વ્યવસ્થા વિગેરે પર દેખરેખ રાખવા માટે કુલ- 21 નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે.કચ્છ જિલ્લામાં કુલ-6 વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ મતદાન મથકો 1860+1 (પૂરક મતદાન મથક) માટે અંદાજે 10500 (રીઝર્વ સહિત) મતદાન સ્ટાફની જરૂરીયાત રહેશે.

Last Updated :Nov 29, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.