ETV Bharat / state

51 New ST Busses: તાપીના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશન અને 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2024, 4:16 PM IST

હર્ષ સંઘવી દ્વારા 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું
હર્ષ સંઘવી દ્વારા 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું

આજે તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશન અને 51 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Tapi Songadh Transport Minister Hash Sanghavi 51 New ST Busses New Bus Station

તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

તાપીઃ સોનગઢ ખાતે વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવા બસ સ્ટેશન અને 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ 51 નવી બસો દરેક પ્રકારની સુવિધાથી સજ્જ છે. જેમાં સ્લીપિંગ, ટુ બાય ટુ, મીડી બસો વગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે
સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે

દરરોજ 538 રુટ્સઃ ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ ખાતે થી દરરોજ 538 જેટલા રૂટો ઉપડે છે. હવે તેમાં નવી 51 બસો વધતા તાપી જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એ લોકોને આ બસ અને બસ સ્ટેશન આપણું છે, જેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી હોવાની ઉપસ્થિતઓનો અપીલ કરી હતી. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે.

નવા બસ સ્ટેશનના લોકાર્પણ થી અહીંના લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે. આજે સોનગઢ તાલુકામાં ભૂતકાળની સરકારમાં લોકો એક એક બસ માટે વારસો વરસ સુધી રાહ જોવી પડતી હતી. અત્યારે 538 બેસ તો ચાલુ જ છે આ ઉપરાંત નવી 51 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો તમામ પ્રકારની છે ટુ બાઈ ટુ, સ્લીપિંગ, સીટિંગ વગેરે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા માત્ર 14 મહિનામાં 1450 નવી બસો ગુજરાતના નાગરિકોની સેવા માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે...હર્ષ સંઘવી(વાહન વ્યવહાર પ્રધાન)

  1. Mahisagar News : મહીસાગરના વિકાસને મળ્યો વેગ, હર્ષ સંઘવીએ કરોડોની કિંમતના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું
  2. 201 New ST Buses: આજે મુખ્ય પ્રધાનને હસ્તે નવી 201 એસટી બસોનું લોકાર્પણ કરાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.