ETV Bharat / state

Union Budget : કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ માટે રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશનને છે આ અપેક્ષા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 4:40 PM IST

આગામી દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે. ત્યારે આ કેન્દ્રીય બજેટ ઇન્ટરીમ બજેટ હશેે. એવામાં ઈટીવી ભારત દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રના એન્જીનિયરિંગ ઉદ્યોગોને આ ઇન્ટરીમ બજેટને લઈને કયા પ્રકારની આશા અપેક્ષા છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તેમને એન્જીનિયરિંગ ઉદ્યોગની સમસ્યાઓ, ટેક્સની બાબતો તેમજ નવા ઉદ્યોગકારોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે પોતાના પ્રતિભાવો જણાવ્યા હતાં.

Union Budget : કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ માટે રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશનને છે આ અપેક્ષા
Union Budget : કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ માટે રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશનને છે આ અપેક્ષા

વિવિધ મુશ્કેલીઓ અંગે પોતાના પ્રતિભાવો જણાવ્યા

રાજકોટ : લોકસભા ચૂંટણી 2024 પહેલાં કેન્દ્ર સરકારનું ઇન્ટરીમ બજેટ આવી રહ્યું છે. ત્યારે આ કેન્દ્રીય બજેટ ઇન્ટરીમ બજેટ હશેે. એવામાં ઈટીવી દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રના એન્જીનિયરિંગ ઉદ્યોગોને આ ઇન્ટરીમ બજેટને લઈને કયા પ્રકારની આશા અપેક્ષા છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં એન્જીનિયરિંગ ઉદ્યોગોની સમસ્યાઓ, ટેક્સની બાબતો તેમજ નવા ઉદ્યોગકારોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે પોતાના પ્રતિભાવો જણાવ્યા હતાં.

MSME સ્કીમની પ્રક્રિયા સરળ કરવી જોઈએ : રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશન દિલીપ સરકારેના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે ભારત સરકાર પણ એન્જીનિયરિંગ ઉદ્યોગોને આગળ લાવવામાં ખૂબ જ મદદ કરે છે. આ સાથે જ એમએસએમઈની વિવિધ સ્કીમોને ડેવલમેન્ટ કરવાની પણ યોજનાઓ સારી છે.

ત્યારે આગામી આવનાર કેન્દ્ર સરકારના બજેટને લઈને અમારી એવી આશા છે કે સરકાર દ્વારા જે એમએસએમઈની અલગ અલગ સ્કીમો છે તેને સરળ કરવામાં આવે, જ્યારે સરકાર દ્વારા MSME માટે ખૂબ જ ફાયદાકારક સ્કીમો આપવામાં આવે છે પરંતુ આ એમએસએમઈની સ્કીમોનું સરળીકરણ થતું નથી. જેના કારણે 80 ટકા સ્કીમોનો લાભ ઉદ્યોગકારોને મળી શકતો નથી. ત્યારે અમારી માંગણી છે કે આ સ્કીમોમાં સરળીકરણ કરવામાં આવે જેના કારણે ઉદ્યોગકારોને તેનો લાભ મળી શકે...નરેન્દ્ર પાંચાણી (પ્રમુખ, રાજકોટ એન્જીનિયરિંગ એસોશિિએશન )

ઉદ્યોગકારોને તેમની જ મર્યાદામાં લાભ આપવો જોઈએ : આગામી બજેટને લઇ દિલીપ સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એમએસએમઈ ઉદ્યોગ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. ત્યારે દર વખતે 40 ટકા જેટલો એમએસએમઈનો રેશિયો જળવાઈ રહેતો હોય છે.

આ રેશિયો વધારવા માટે સરકારે અલગ અલગ નીતિ નિયમોમાં છૂટછાટ રાખવી જોઈએ. જેમાં નાના નાના ઉદ્યોગકારો જ્યારે ફોરેનની અંદર ભાગ લેવા માટે જતા હોય છે ત્યારે આ ઉદ્યોગકારો માટે ઈન્સેટીવના દર વધારવા જોઈએ. સરકાર દ્વારા MSME ઉદ્યોગો માટે ઘણી બધી પ્રોત્સાહિત સ્કીમો છે પરંતુ નાના ઉદ્યોગોને તેનો લાભ થતો નથી. જેના કારણે સરકાર આ નાના ઉદ્યોગકારોને તેમની જ મર્યાદામાં આ MSMEની સ્કીમોનો લાભ આપે તો આ ઉદ્યોગોને બુસ્ટર મળી શકે છે અને તેઓ પણ આગળ આવી શકે છે. હાલમાં નાના ઉદ્યોગકારોને લોન સરળતાથી મળતી નથી. જેના પણ નિયમો હળવા કરવા જોઈએ...દિલીપ સરકાર ( ઉદ્યોગકાર )

નાના ઉદ્યોગકારોને ખુબ જ મુશ્કેલીઓ : રાજકોટ એન્જિનિયરિંગ દિલીપ સરકારેના ડાયરેક્ટર અભિનવ કપૂરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાના નાના ઉદ્યોગકારોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જ્યારે કોઈએ એક સ્ટાર્ટ અપ ઊભું કરવાનું હોય, ત્યારે જમીન લેવાની હોય છે, લોન લેવાની હોય છે આ સાથે ઉદ્યોગોની મશીનરી લેવામાં આવતી હોય છે. ત્યારે આ તમામ વસ્તુઓની સાથે ટેક્સ પણ ભરવો પડતો હોય છે. ત્યારે નાના ઉદ્યોગકારો માટે ટેકસના દર ઓછા થાય તો ઉદ્યોગકારો કંઈક આગળનું વિચારી શકે છે. જ્યારે રાજકોટના ઉદ્યોગકારો અલગ અલગ આઈટમો વિવિધ દેશ વિદેશમાં એક્સપોર્ટ કરતા હોય છે, ત્યારે રૉ મટીરીયલ એક્સપોર્ટ કરવાનો ટેક્સ ઘટશે તો ઉદ્યોગકારોને પોતાનો માલ એક્સપોર્ટ કરવા સહેલાઈ પડશે. તેમજ આ બાબતમાં ચાઇના જેવા દેશો સાથે પણ સહેલાઈથી કોમ્પિટિશન થાય છે તેની પણ જરૂરિયાત રહેશે નહીં.

  1. Miniature Artist In Rajkot : રાજકોટના મુકેશ આસોડિયાની એન્જીનિયરિંગ ક્રાફ્ટનું આશ્ચર્ય, મિનિએચર વેહિકલ બનાવી દોડતા કર્યા
  2. No Admission Zone Colleges In Gujarat : GTU ઇન્સ્પેકશન બાદ કુલ 9 એન્જિનિયરિંગ કોલેજો 'નો એડમિશન ઝોન'માં મૂકાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.