ETV Bharat / state

Rahul Gandhi: 'રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે અંદર રામ મંદિરમાં જવા ન દીધા', ગુજરાતમાં રાહુલનો ફરી પીએમ મોદી પર મોટો પ્રહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 6:26 PM IST

Updated : Mar 8, 2024, 11:23 AM IST

રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું. કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે રાષ્ટ્રપતિને એટલા માટે મંદિરમાં ન જવા દીધા કે તેઓ આદિવાસી છે.

Rahul Gandhi
Rahul Gandhi

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ઝાલોદમાં જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાહુલનો પ્રહારઃ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રપતિને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે, તમે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. રાષ્ટ્રપતિ આદિવાસી છે ને? તેનો ચહેરો ટીવી પર કોઈએ જોયો?, કેમ તેને શું ભૂલ કરી? આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા. અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય. અદાણી, અંબાણી, બોલિવૂડ, ક્રિકેટરો જોયા હશે.

જાતિ આધારિત જનગણનાની માગ કરીઃ ઝાલોદમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વધુ એક વખત દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી હતી અને કહ્યું હતું કે, જાતિ જનગણના થવી જોઈએ જેનાથી દેશના દરેક નાગરીકને ખ્યાલ આવશે કે કોના હાથમાં કેટલું ધન છે?, કઈ સંસ્થામાં કોણ છે?, બજેટમાં ભાગીદારી આટલી છે, દલિતોને ખ્યાલ આવશે કે તેમની ભાગીદારી કેટલી છે?

ભાજપ સરકાર પર આકરા ચાબખા મારતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ સરકારે 16 લાખ કરોડનો ખર્ચ માફ કર્યો છે. નરેન્દ્ર મોદીની રાજનીતિ અરબપતિઓની મદદ કરવાની છે. પબ્લિક ક્ષેત્રને પ્રાઇવેટ સેક્ટર કરી રહ્યા છે. એક રેગ્યુલર આર્મી અને બીજો અગ્નિવીર બંને એક સાથે લડશે, એકને છ મહિનાની ટ્રેનીંગ હશે. બીજી બાજુ ચાઇના વાળા ત્રણથી ચાર વર્ષની ટ્રેનિંગ લઈને આવશે અગ્નિવીર સૈનિક છ મહિનાની ટ્રેનિંગ હશે જ્યારે શહીદ થશે તો કહેવાશે તમે અગ્નિ વીર છો સહિતનો દરજ્જો નહીં મળે એવું કહેવામાં આવશે. તમારા પરિવારને પેન્શન નહીં મળે તો એ શું લડત લડશે ?

રાહુલ ગાંધીએ બેરોજગારી અને બેકારી વિશે કહ્યું હતું કે યુવાઓને રોજગાર મળશે નહીં કશું પણ કરો કેમકે સામાન્ય માણસ શર્ટ પર 18% જીએસટીનો ટેક્સ આપે છે. સામાન્ય જનતાના કિસ્સામાંથી દેશની રક્ષા આરોગ્ય શિક્ષણ અને વીમા માટે પૈસા આવે છે. સામાન્ય જનતાનાને ખબર જ નથી કે પોતાના ખિસ્સામાંથી કેટલું નાણું જાય છે અને કેટલી જીએસટી આપી સામાન્ય જનતાને ખબર નથી પણ એ બધું નાણું અદાણીના ખિસ્સામાં અને મોટા ઉદ્યોગપતિના ખિસ્સામાં જાય છે.

અદાણી લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યોઃ દેશમાં એક ઉદ્યોગપતિ છે ગૌતમ અદાણી. એરપોર્ટ, પોર્ટ, માઈનીંગ, પાવર જનરેશન, સોલાર પાવર, વિન્ડ પાવર, હિમાચલના સફરજન જ્યાં જુઓ ત્યાં એક જ વ્યકિત જોવા મળશે. બધુ બોલવા જઈશું તો બે ત્રણ કલાક થશે. બે-ત્રણ ટકા લોકોને દેશનું બધુ ધન પકડાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત AAPના નેતાઓ પણ યાત્રામાં જોડાયાઃ ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની 24 બેઠક કોંગ્રેસને ફાળવવામાં આવી છે. આજે જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રાનું આગમન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા છે.

યાત્રાનો આજનો કાર્યક્રમઃ રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.

  1. Viksit Bharat Sankalp Patra : ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન, દેશવાસીઓ આપી શકશે સરકારને સૂચન
  2. Bharat jodo nyay yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે ગુજરાત, જાણો યાત્રાની સંપૂર્ણ વિગત...
Last Updated : Mar 8, 2024, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.