ETV Bharat / state

Maha Shivratri 2024: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 6:19 PM IST

અનાદી કાળથી મહા વદ નોમ થી મહા વદ તેરસ સુધી ભવનાથની ગીરી તળેટીમાં મહા શિવરાત્રી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહા શિવરાત્રીના મેળામાં ભવનાથ મહાદેવ પ્રત્યેક શિવભક્તોમાં આસ્થાના કેન્દ્ર સ્થાને બિરાજતા હોય છે. વાંચો ભવનાથમાં યોજાતા મહા શિવરાત્રિ મેળા વિશે વિગતવાર. Maha Shivratri 2024 Junagadh Bhavnath Lord Shiva

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી

જૂનાગઢઃ ભવનાથની તળેટીમાં મહા વદ નોમથી મહા વદ તેરસ સુધી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનું આયોજન થતું હોય છે. આ મેળો સમગ્ર ભારતમાં આયોજિત થતા ધાર્મિક ઉત્સવોમાં ખૂબ જ અલગ રીતે તરી આવે છે. કહેવાય છે કે અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સ્વરૂપ સમાન ગુરુદત્તાત્રેય મહારાજ ની સતત હાજરી હોય છે. વધુમાં 52 શક્તિપીઠો પૈકી ઉદરીય શક્તિપીઠ તરીકે જાણીતી અને સનાતન ધર્મમાં પૂજનીય માં અંબાજી ગિરનાર પર્વત પર બિરાજી રહ્યા છે. જ્યારે તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરમાં સ્વયં દેવાધિદેવની હાજરી હોય છે.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે એ ગિરનારની ભવનાથ તળેટી

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમઃ મહા શિવરાત્રીના મેળાને ભજન, ભોજન અને ભક્તિના મેળાના ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 5 દિવસ સુધી અલખને ઓટલે નાગા સન્યાસીઓ દ્વારા ધૂણી ધખાવીને મહાદેવની આરાધના ગુરુ દત્તાત્રેય ભગવાનના સાનિધ્યમાં થતી હોય છે. ગિરનારમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર દેશમાંથી નાગા સન્યાસીઓ અને અઘોરી બાવાઓ 5 દિવસ સુધી અલખને ઓટલે ધુણી ધખાવીને મહાદેવની આરાધના પણ કરતા હોય છે. જેને કારણે પણ મહા શિવરાત્રીનો મેળો અને ગિરનારનું સાનિધ્ય સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

શિવરાત્રી એટલે શિવ-પાર્વતીના વિવાહઃ મહા શિવરાત્રીના દિવસને શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ પણ માનવામાં આવે છે. ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે અઘોરીઓ અને નાગા સન્યાસીઓને જાનૈયા તરીકે તેમની સાથે લઈને પાર્વતી માતાને પરણવા માટે નીકળ્યા હતા. એ જ પ્રમાણે મહા શિવરાત્રીના દિવસે શિવના વિવાહમાં જતા હોય તે પ્રકારે નાગા સન્યાસીઓ રવેડીમાં સામેલ થતા હોય છે. જે મહા શિવરાત્રીના મેળાનું હાર્દ પણ માનવામાં આવે છે.

ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે અઘોરીઓ અને નાગા સન્યાસીઓને જાનૈયા તરીકે તેમની સાથે લઈને પાર્વતી માતાને પરણવા માટે નીકળ્યા હતા. એ જ પ્રમાણે મહા શિવરાત્રીના દિવસે શિવના વિવાહમાં જતા હોય તે પ્રકારે નાગા સન્યાસીઓ રવેડીમાં સામેલ થતા હોય છે...હરીગીરી મહારાજ(મહંત, ભવનાથ મંદિર, જૂનાગઢ)

  1. Maha Shivratri 2024: મહા શિવરાત્રી મેળાને 5 ઝોનમાં વિભાજીત કરાયો, પોલીસ ટીમનું વિશેષ આયોજન
  2. Plastic Free Campaign: મહા શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ફ્રી અવેરનેસ માટે કલાકારોએ કેમ્પેન શરુ કર્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.