ETV Bharat / state

વંથલી તાલુકાના રવની ગામમાં પિતાપુત્રની હત્યા, અંધાધુધ ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર - JUNAGASH CRIME

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 1:22 PM IST

Updated : May 11, 2024, 7:10 PM IST

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું રવની ગામ પિતાપુત્રની હત્યાથી ખળભળી ઉઠ્યું છે. ગત મોડી રાત્રિના સમયે અજાણ્યા હુમલાવરોએ આડેધડ ફાયરિંગ કરીને રફીક અને જીસાન સાધની હત્યા કરીને ફરાર થઈ ગયા હતાં. રવની ગામમાં પિતાપુત્રની હત્યાના મામલામાં જુનાગઢ પોલીસે આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વંથલી તાલુકાના રવની ગામમાં પિતાપુત્રની હત્યા, અંધાધુધ ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર
વંથલી તાલુકાના રવની ગામમાં પિતાપુત્રની હત્યા, અંધાધુધ ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર (ETV Bharat)

જુનાગઢ : જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું રવની ગામ પિતા પુત્રની બેવડી હત્યાથી ખડભડી ઉઠ્યું છે ગત મોડી રાત્રિના સમયે રવની ગામના રફીક અને જીસાન સાંધની અજાણ્યા હુમલાવરોએ ગોળી ધરબી દઈને હત્યા કરી નાખી છે. નાના એવા ગામમાં બેવડી હત્યાથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેવડી હત્યાના બનાવથી વંથલી પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસના ચક્રો ગતિમાન (ETV Bharat)

બેવડી હત્યામાં અગાઉની હત્યા કારણભૂત વર્ષ 2023ના આઠમા મહિનામાં રવની ગામમાં આ જ પ્રકારે એક હત્યા કરવામાં આવી હતી. જેની બાતમી ગઈકાલે હત્યા કરવામાં આવેલા જીશાન દ્વારા આપવામાં આવી હોવાના મનદુઃખને કારણે ગઈકાલે રાત્રે જીશાનની સાથે તેના પિતા રફીક સાંધની પણ હુમલાવરોએ આડેધડ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃતક પિતા પુત્ર રવની નજીક આવેલા તેમના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના 9:00 થી 10:00 વાગ્યાના અરસામાં હુમલાખોરોએ બંનેની હત્યા કરીને પલાયન થઈ ગયા છે.

રવની હત્યાના બદલામાં હત્યાથી કુખ્યાત જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું રવની ગામ હત્યાના બદલામાં હત્યાથી પાછલા પાંચેક વર્ષથી એકદમ કુખ્યાત બની રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં ચાર કરતાં વધુ હત્યા નીપજાવામાં આવી છે. જેની પાછળ આગળની હત્યાનો બદલો લેવાનુ કારણ પણ સામે આવ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે. પરંતુ જે રીતે નાનું એવું રવની ગામ હત્યાના બદલામાં હત્યાથી કુખ્યાત બની રહ્યું છે જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે શોકની સાથે ચિંતાનું વાતાવરણ પણ જોવા મળે છે.

  1. વલ્લવપુરમાં આડા સંબંધના વહેમના લીધે પિતા-પુત્રની હત્યા, પિતાનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પુત્રનો મૃત્રદેહ લાપતા
  2. જમીન વિવાદમાં પિતા-પુત્રની હત્યામાં 11 આરોપીઓને જન્મટીપની સજા
Last Updated : May 11, 2024, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.