ETV Bharat / state

પોઈચા પાસે મોટી કરૂણતા, નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો સહિત 8 ડૂબ્યા, 1નો બચાવ - 8 people drowned in the river

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 5:40 PM IST

સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ.8 people drowned in the river

પોઇચામાં નર્મદા નદીમાં 8 લોકો નહાવા જતા નદીમાં ગરકાવ થયા
પોઇચામાં નર્મદા નદીમાં 8 લોકો નહાવા જતા નદીમાં ગરકાવ થયા (Etv Bharat gujarat)

નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો સહિત 8 ડૂબ્યા (Etv Bharat gujarat)

પોઇચા(વડોદરા): અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ પોઇચામાં નર્મદા નદીમાં એક પછી એક 8 લોકો નહાવા માટે પડ્યા હતા. જેમા તેમને ખ્યાલ ન રહ્યો કે, નદીમાં ઉંડાઇ વધારે છે. નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબવા લાગ્યા હતા અને તેઓ બચાવોની બૂમો પાડતા સ્થાનિક નાવિકો તે ડૂબી રહેલા લોકોને બચાવવા માટે પાણીમાં કુદી પડ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકોએ પાણીમાંથી ડૂબતા આબાદ બચાવી લીધો હતો.પણ હજુ 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચીને 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.

લાપતા પ્રવાસીઓની શોધખોળ કરાઇ: સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

ડૂબેલા પ્રવાસીઓની યાદી

  1. મેઘાબેન ભરતભાઈ બલદાણિયા
  2. આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.45)
  3. આર્ણવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.12)
  4. મેત્રક્ષ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.15)
  5. વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ.11)
  6. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ.7)
  7. ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ.15)
  8. ભાવેશ વલ્લભભાઇ હડિયા (ઉં.વ.15)
  1. છત્તીસગઢના નારાયણપુરમાં કોંગ્રેસના નેતાની ગોળી મારીને હત્યા, અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો - Chhattisgarh Congress Leader Murder
  2. યમુનોત્રીમાં હાર્ટ એટેકથી ગુજરાતી યાત્રીનું મોત, અત્યાર સુધીમાં કુલ કેટલા ભક્તોના મોત થયાં જાણો - Chardham Yatra 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.