ETV Bharat / international

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા - Kidnapping Pakistan Hindu girl

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 11:10 AM IST

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ યુવતીના અપહરણને લઈને લોકોમાં પોલીસ-પ્રશાસન સામે રોષ છે. રોષે ભરાયેલા લોકોએ પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પાકિસ્તાની સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા

પાકિસ્તાન : પાકિસ્તાનના ડેરા મુરાદ જમાલી વિસ્તારમાં હિન્દુ સમુદાયની એક યુવતી પ્રિયા કુમારીના અપહરણને લઈને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. આ મામલે ભારે વિરોધ થયો હતો. વધતા ગુસ્સા વચ્ચે હિંદુ સમુદાયના સભ્યો અને ઉદ્યોગપતિઓ રસ્તા પર ઉતર્યા હતા. તેઓએ અપહરણકર્તા શોધવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના અહેવાલના આધારે આ માહિતી સામે આવી છે.

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ : સિંધ સરકારની કથિત અસમર્થતાની ટીકા કરતા વિરોધીઓએ થોડા દિવસો પહેલા જ સુક્કરમાંથી અપહરણ કરાયેલી યુવતીને શોધવા અને બચાવવામાં સરકારની નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી હતી. અહેવાલ મુજબ વિરોધીઓએ સિંધમાં નિર્દોષ બાળકોના નિયમિત અપહરણની સખત નિંદા કરતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા. તથા ધાર્મિક લઘુમતીઓ માટે બગડતી સુરક્ષાની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો.

જનતામાં ઉગ્ર રોષ : હિન્દુ સમુદાયના આગેવાન મુખી માણકલાલ અને શેઠ તારાચંદની આગેવાની હેઠળની રેલીમાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ ભાગ લીધો હતો. વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા તાજ બલૂચ, JI યુવા મોરચાના લિયાકત અલી ચકર, જથ્થાબંધ બજારના પ્રમુખ મીર જાન મેંગલ, મૌલાના નવાબુદ્દીન ડોમકી, ખાન જાન બંગુલાજી અને હરપાલ દાસનો સમાવેશ નોંધપાત્ર ઉપસ્થિતિમાં થયો હતો.

સર્વ સમાજની માંગ : નેતાઓએ વડાપ્રધાન શહબાજ શરીફ અને સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહને વિનંતી કરી કે તેઓ યુવતીની સલામત પરત લાવવા અને લઘુમતી સમુદાયને ન્યાય આપવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લે. જો તેમની માંગણીની અવગણના કરવામાં આવશે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની કડક ચેતવણી આપી છે.

લઘુમતી સમાજ પર હુમલા : હ્યુમન રાઇટ્સ ફોકસ પાકિસ્તાને (HRFP) પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર ધાર્મિક અત્યાચારની સખત નિંદા કરી છે. આગામી સરકારને તમામ સમુદાયો માટે સમાન દરજ્જો આપવા માટે કાયદો લાવવા વિનંતી કરી છે. HRFP દ્વારા નોંધવામાં આવ્યું કે ખ્રિસ્તી, હિન્દુ, અહમદિયા, શીખ અને અન્ય સમુદાયોના ઘણા લોકો છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ હુમલાઓનો ભોગ બન્યા છે.

HRFP : હ્યુમન રાઇટ્સ ફોકસ પાકિસ્તાન (HRFP) એક બિન-સરકારી સંસ્થા (NGO) છે. જેની સ્થાપના 1994 માં માનવ અધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કરવામાં આવી હતી. ધાર્મિક લઘુમતી, મહિલાઓ અને બાળકો પર વિશેષ ધ્યાન આપીને HRFP ની રચના કરવામાં આવી હતી.

ચિંતાજનક ઘટનાઓ : HRFP દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના વિઝન અને વિચારો અનુસાર તમામ નાગરિકોના સમાન દરજ્જા માટે કાયદો બનાવવો જોઈએ. HRFP એ જણાવ્યું હતું કે, તાજેતરના કેસો દુઃખદાયક છે અને વધતી સંખ્યાએ લઘુમતીઓને વધુ સંવેદનશીલ બનાવ્યા છે. HRFP પ્રમુખ નવીદ વોલ્ટરે કહ્યું કે, અત્યાર સુધીના વર્ષના ટૂંકા ગાળામાં પણ ઘણી ચિંતાજનક ઘટના સામે આવી છે.

  1. કાલાવડના વિશ્વાસ ધામ આશ્રમમાં ગાયિકા સાથે ગેરવર્તન, ઢસડીને કારમાં અપહરણ કરાયું, 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
  2. Surat Crime : સુરત પોલીસે બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં માત્ર 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.