ETV Bharat / bharat

તિહાર જેલમાં આપ નેતા સંજયસિંહનું સ્વાસ્થ્ય કેવું રહ્યું તેનો જેલતંત્રનો રીપોર્ટ આવ્યો સામે - Sanjay Singh Health Report

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 3:10 PM IST

તિહાર જેલમાં આપ નેતા સંજયસિંહનું સ્વાસ્થ્ય કેવું રહ્યું તેનો જેલતંત્રનો રીપોર્ટ આવ્યો સામે
તિહાર જેલમાં આપ નેતા સંજયસિંહનું સ્વાસ્થ્ય કેવું રહ્યું તેનો જેલતંત્રનો રીપોર્ટ આવ્યો સામે

આપ નેતા સંજયસિંહના તિહાર જેલમાં રોકાણ દરમિયાનના તેમના સ્વાસ્થ્યનો રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેમનું વજન 6 મહિનામાં 6 કિલો વધી ગયું છે. આપને જણાવીએ કે 3 એપ્રિલના રોજ સંજયસિંહ શરતી જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતાં અને માધ્યમો સમક્ષ આવ્યાં હતાં.

નવી દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ છ મહિના બાદ તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે. તેઓ જેલમાં હતા ત્યારે તેમની તબિયત સારી રહી હતી. વાસ્તવમાં તિહાર જેલના હેલ્થ રીપોર્ટ અનુસાર તેમનું વજન છ કિલો વધી ગયું છે. જ્યારે સંજયસિંહની ધરપકડ કરવામાં આવી ત્યારે મેડિકલ રેકોર્ડમાં તેમનું હાઈ બ્લડ પ્રેશર નોંધવામાં આવ્યું હતું. હવે બ્લડ પ્રેશર પણ લગભગ સામાન્ય થઈ ગયું છે.

આતિશીની ચિંતાઓ : આપને જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. જો કે, તિહાર જેલ પ્રશાસને આ વાતને નકારી કાઢી હતી અને સ્પષ્ટતા કરી હતી કે અરવિંદ કેજરીવાલ એકદમ સ્વસ્થ છે અને તેમની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

સંજયસિંહ જેલમાં નિયમિત ચેકઅપ કરાવતા હતાં : ધરપકડ બાદ તિહાર જેલમાં સંજયસિંહનું નિયમિત સ્વાસ્થ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. 13 ઓક્ટોબર 2023ના રોજ જ્યારે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે સંજયસિંહનું વજન 76 કિલો હતું અને હવે સંજયસિંહનું વજન 82 કિલો છે, એટલે કે 6 મહિનામાં તેમનું વજન 6 કિલો વધી ગયું છે. જેલમાં ગયાં ત્યારે તેમનું બ્લડ પ્રેશર 153/103 નોંધાયું હતું. જ્યારે તેઓ બહાર આવ્યો ત્યારે સંજય સિંહનું બ્લડપ્રેશર 136/70 હતું. તબીબોના મતે સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 હોય છે. આ સંદર્ભમાં ડૉ. આઝાદ કુમાર કહે છે કે સંજયસિંહ જેનું બ્લડ પ્રેશર વધારે હતું તે હવે લગભગ સામાન્ય થઈ ગયું છે.

3જી એપ્રિલે જેલમાંથી બહાર આવ્યાં સંજયસિંહ : જ્યારે સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારે તેમને દિલ્હીના વસંત કુંજ સ્થિત ILBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બીમારીના કારણે તેમની ત્યાં સારવાર ચાલી રહી હતી. જામીન મળ્યાના એક દિવસ બાદ તે હોસ્પિટલથી તિહાર જેલમાં પાછા ગયાં હતાં.જ્યારે ત્યાં તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ, ત્યારે તેઓ 3 એપ્રિલે મોડી સાંજે તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યાં હતાં. બહાર આવતાની સાથે જ તેમણે કાર્યકરો વચ્ચે ભાષણ આપ્યું. જે બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયા પણ સત્યેન્દ્ર જૈનના ઘરે તેમના પરિવારના સભ્યોને મળવા ગયા હતાં. તેઓ પાર્ટીમાં પહેલાની જેમ સક્રિય રીતે કામ કરતા જોવા મળે છે.

  1. મનીષ સિસોદિયાને કોઈ રાહત નહિ, જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાઈ - Manish Sisodia Custody Extends
  2. જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહની પહેલી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- ભાજપ માથાથી પગ સુધી દારૂના કૌભાંડમાં ડૂબેલી છે. - Sanjay Singh Press Confrence
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.