ETV Bharat / bharat

Viksit Bharat 2047: મોદી કેબિનેટની છેલ્લી બેઠક યોજાઈ, 'વિકસિત ભારત 2047' પર ચર્ચા કરી, કહ્યું - જાઓ, જીતીને આવો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 12:56 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં 'વિકસિત ભારત: 2047' માટેના અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર કાર્ય યોજનાની ચર્ચા કરવામાં આવી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં મે મહિનામાં નવી સરકારની રચના પછી તરત જ લેવામાં આવનાર પગલાં અને તેના વહેલા અમલીકરણ માટેના 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.

Viksit Bharat 2047
Viksit Bharat 2047

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મંત્રી પરિષદ સાથે એક બેઠક યોજી હતી જ્યાં તેઓએ વિઝન દસ્તાવેજ 'વિકસિત ભારત 2047' પર વિચાર વિમર્શ કર્યો હતો અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર કાર્ય યોજના પર પણ ચર્ચા કરી હતી.

PM મોદીએ આપ્યો વિજયી મંત્ર: PM મોદીએ તેમના કેબિનેટ સાથીદારોને ચૂંટણી દરમિયાન લોકોનો ટેકો મેળવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા કહ્યું, અને વિકાસને પ્રોત્સાહન આપવા અને સમાજના તમામ વર્ગોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે તેમની સરકાર દ્વારા લેવામાં આવેલી ઘણી પહેલોની પણ પ્રશંસા અને પગલાંઓ વિશે વાત કરી. સૂત્રોએ જણાવ્યું કે 'વિકસિત ભારત' માટેનો 'રોડમેપ' બે વર્ષથી વધુ સમયની સઘન તૈયારીનું પરિણામ છે.

આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'વિવિધ સ્તરે 2700 થી વધુ બેઠકો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 લાખથી વધુ યુવાનો પાસેથી સૂચનો મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 'વિકસિત ભારત' માટેનો રોડમેપ સ્પષ્ટ રીતે વ્યક્ત કરાયેલ રાષ્ટ્રીય દ્રષ્ટિ, આકાંક્ષાઓ, ધ્યેયો અને ક્રિયાઓ સાથેનો એક વ્યાપક બ્લુપ્રિન્ટ છે.

અનેક મુદ્દાઓ પર રજૂઆત: બેઠકમાં ઘણા મંત્રાલયોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તે પહેલા આ બેઠક કદાચ આ પ્રકારની છેલ્લી બેઠક છે. બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો પણ કરવામાં આવી હતી. અગાઉ, વડાપ્રધાને તેમના કેબિનેટ સાથીદારોને આવી યોજના તૈયાર કરવા અને તેમને 3 માર્ચે મંત્રી પરિષદની બેઠકમાં રજૂ કરવા કહ્યું હતું, જેનો અમલ કરી શકાય અને તેનું મૂલ્યાંકન કરી શકાય અને જેની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી હોય.

PM મોદીએ ઘણી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સતત ત્રીજી વખત તેમના નેતૃત્વમાં સરકાર બનશે. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકો અને ભાજપના નેતૃત્વમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) માટે 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

  1. Supreme Court: સંસદ કે વિધાનસભામાં વોટ કે ભાષણ માટે લાંચના આરોપોમાંથી સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર
  2. Delhi Excise Policy Case: EDના આઠમા સમન્સ પર પણ હાજર ન થયા કેજરીવાલ, 12 માર્ચ પછીની તારીખ માંગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.