ETV Bharat / bharat

બહુમતી નહીં મળે તો ભાજપનો પ્લાન B શું હશે, જુઓ અમિત શાહે શું કહ્યું ? - LOK SABHA ELECTION 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 1:14 PM IST

હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના 400 બેઠકના ટાર્ગેટ પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, અમારે પ્લાન B ની જરુરુ નથી, પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે.

બહુમતી નહીં મળે તો ભાજપનો પ્લાન B શું હશે, જુઓ અમિત શાહે શું કહ્યું ?
બહુમતી નહીં મળે તો ભાજપનો પ્લાન B શું હશે, જુઓ અમિત શાહે શું કહ્યું ? (ETV Bharat Desk)

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભામાં બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે તેવી સંભાવના અંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આવું થવાની શક્યતા નથી લાગી રહી. ભાજપને પ્લાન બીની જરૂર નથી. જો ભાજપ લોકસભા ચૂંટણીમાં 272 થી ઓછી બેઠકો જીતશે તો તેમની રણનીતિ શું હશે ? તો અમિત શાહે કહ્યું કે, મને આવી કોઈ શક્યતા દેખાતી નથી. PM મોદીની સાથે 60 કરોડ લાભાર્થીઓની ફોજ ઉભી છે. તેમની કોઈ જાતિ કે વય જૂથ નથી. જેમને આ તમામ લાભ મળ્યા છે તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી શું છે અને તેમને શા માટે 400 બેઠકો આપવી જોઈએ.

  • પ્રચંડ બહુમતી મળશે, પ્લાન B ની જરૂર નથી : અમિત શાહ

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પ્લાન B ત્યારે જ બનાવવો જોઈએ જ્યારે પ્લાન A સફળ થવાની સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને ખાતરી છે કે પીએમ મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.

  • બંધારણમાં સુધારો કરવા માંગતા નથી : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, દેશની રાજનીતિમાં સ્થિરતા લાવવા માટે ભાજપને 400થી વધુ સીટોની જરૂર છે. અમે બંધારણમાં સુધારો કરવા માંગતા નથી. ભાજપને બંધારણ બદલવાનો જનાદેશ પહેલા જ મળી ગયો હતો, પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી.

  • 400 બેઠકોની જરૂર શા માટે ?

અમિત શાહે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 400 બેઠક જીતીને ભાજપ સરહદોની રક્ષા કરવા, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને ગરીબોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માંગે છે. અમને 400 બેઠકોની જરૂર છે કારણ કે હજુ પણ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચ્યું નથી. અમે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવા માંગીએ છીએ.

  1. પીએમ મોદી બપોરે 2.30 વાગ્યે હમીરપુરના રાઠથી બુંદેલખંડને સંબોધિત કરશે અને જનસભા કરશે
  2. 'મોદી અમિત શાહને પીએમ બનાવવા માંગે છે, ભાજપ 400 સીટો લાવીને અનામત ખતમ કરવા માંગે છે': કેજરીવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.