ETV Bharat / bharat

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટના 50 પેજમાં માત્ર પશ્વિમી દિવાલનો ઉલ્લેખ, જાણો શું છે હકીકત ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 5:46 PM IST

પશ્વિમી દિવાલના રહસ્યો
પશ્વિમી દિવાલના રહસ્યો

વારાણસી સ્થિત જ્ઞાનવાપી ASI સર્વેનો 839 પેજનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાંથી 50 જેટલા પેજમાં માત્ર પશ્વિમી દિવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુઓ આ ખાસ અહેવાલમાં શું છે આ દિવાલનો ઈતિહાસ ?

વારાણસી : જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજી ભોંયરામાં પૂજા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે પૂજા માટેના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર શહેરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. આ બધા વચ્ચે પોલીસ હજુ પણ સતર્ક છે. આટલી તકેદારી એટલા માટે પણ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રિપોર્ટમાં જ્ઞાનવાપીને લઈને અનેક રહસ્યો સામે આવ્યા છે, જે આ સમગ્ર સંકુલ એક પ્રાચીન મંદિર હોવાના મજબૂત પુરાવા છે. ASI ના રિપોર્ટમાં જ્ઞાનવાપી સંકુલની પશ્ચિમી દિવાલ પર મળેલા અવશેષોની રચના, બનાવટમાં લખાણ, બાંધવામાં આવેલ માળખું અને તેની મજબૂતાઈ પ્રાચીન મંદિરના અસ્તિત્વના મજબૂત પુરાવા છે. રિપોર્ટમાં પશ્ચિમી દિવાલનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે આ દિવાલના બહારના ભાગમાંથી ઘણા તૂટેલા અવશેષો અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

50 જેટલા પેજમાં માત્ર પશ્વિમી દિવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો
50 જેટલા પેજમાં માત્ર પશ્વિમી દિવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો

પશ્વિમી દિવાલના રહસ્યો : એડવોકેટ વિષ્ણુ શંકર જૈન કહે છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે પશ્ચિમી દિવાલને ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચીને સર્વે કર્યો છે. સર્વેમાં પશ્ચિમી દિવાલ વિસ્તારમાં ત્રણ મંચ જોવા મળ્યા હતા, તેમાં એક દિવાલ દટાયેલી છે. પશ્ચિમી ખંડ એ પશ્ચિમી દિવાલનો મધ્ય ભાગ છે, જ્યારે તે કેન્દ્રિય કક્ષનો મુખ્ય પ્રવેશદ્વાર પણ છે. આ વસ્તુની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરે છે કે આ માળખું પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત થયેલ છે. જ્યારે બાંધકામ સમયે આ બંધ હતું. રિપોર્ટમાં આ પ્રવેશદ્વારની આસપાસની દિવાલો પર હિંદુ મંદિરના ઘણા પુરાવા મળ્યા છે. જેમાં કમળની સાથે અન્ય પ્રકારના ફૂલો અને પ્રાકૃતિક સંરચના પર આધારિત ઘંટ, સાંકળ, ત્રિશૂળ, સ્વસ્તિક અને અન્ય પ્રકારની વસ્તુઓ પણ આ સમગ્ર રચના પર સ્પષ્ટપણે હાજર છે.

પશ્વિમી દિવાલના રહસ્યો
પશ્વિમી દિવાલના રહસ્યો

પ્રવેશદ્વાર પર કલાત્મક આકૃતિ : સર્વે રિપોર્ટ અનુસાર દિવાલ પર વિવિધ જગ્યાએ કેટલાક પ્રાણીઓના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં સૂંઢ ઉઠાવેલા બે હાથીના માથાની રૂપરેખા અને ડિઝાઇન સ્પષ્ટપણે દૃશ્યમાન છે. નીચે બે પક્ષીના ચિત્રોમાંથી એકમાં વળાંક છે. શણગારાત્મક દોરડાને પક્ષી જેવા આકાર આપવામાં આવ્યો છે. ફૂલોની સજાવટ આકૃતિના સ્વરૂપમાં કરવામાં આવી છે. ઉપરાંત ઘૂંટણ પર બેઠેલા હાથીઓને નાની આકૃતિઓમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં બંને છેડા પર હાથી સૂંઢ ઉંચી કરીને બેઠા છે. ઘણી જગ્યાએ આકૃતિઓને નુકસાન પહોંચાડીને ભૂંસી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જે આ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારના દરવાજાની ફ્રેમ પર મરઘી અને સિંહ સહિત અન્ય પ્રકારની આકૃતિઓ પણ કોતરવામાં આવી છે. સંરક્ષિત ન હોવાને કારણે આકૃતિઓ નીચે પડી ગઈ છે અને ASI એ તેને બચાવવાની જરૂરીયાત વ્યક્ત કરી છે.

પ્રવેશદ્વાર પર કલાત્મક આકૃતિ
પ્રવેશદ્વાર પર કલાત્મક આકૃતિ

ફૂલોની કોતરણી : ASI રિપોર્ટમાં એક સિંહના આકાર જેવું બેઠેલું પ્રાણી બતાવવામાં આવ્યું છે. તે પણ આ દિવાલના નીચેના ભાગે સ્પષ્ટપણે હાજર છે. ધનુષના આકારના પ્રવેશદ્વાર પર આસપાસ ઘણા ચિત્રો દેખાય છે. જેમાં ફૂલોની કળીઓ, કોતરણીની આકૃતિ, છતમાં કમળની પાંખડીઓ ગુંબજવાળી છતને સાફ કરી રહી છે.વિષ્ણુ શંકર જૈન કહે છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રિપોર્ટમાં આ દિવાલનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અહીં હાજર આકૃતિઓ થાંભલાઓ પર બનાવવામાં આવી હતી. તેની ડિઝાઇન સ્પષ્ટ કરે છે કે આ એક પ્રાચીન મંદિરના અવશેષો છે. જેના પર આખી મસ્જિદ ઉભી કરવામાં આવી છે.

મંદિર હોવાના પુરાવા : વિષ્ણુ શંકર જૈન કહે છે કે 2022 માં આયોજિત આયોગની કાર્યવાહી દરમિયાન આ બાબતો પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે પશ્ચિમી દિવાલ પર આખા મંદિરની રચના દેખાઈ રહી છે. તેને નરી આંખે જોઈને કોઈ પણ કહી શકે છે કે મસ્જિદની પાછળની આ દિવાલ પર મંદિરના અનેક પુરાવા છે. જેમ પ્રાચીન સમયમાં મંદિરો લાલ પથ્થર અને અન્ય પ્રકારની સામગ્રીથી બાંધવામાં આવતા હતા. પશ્ચિમી દિવાલનો એક ભાગ પણ આ જ રચના અને આ સામગ્રીથી બનાવવામાં આવ્યો છે.

  1. Gyanvapi ASI Survey: જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં મોઘલ કાળના સિક્કા, પશ્ચિમી દિવાલ વિષયક ઉલ્લેખ કરાયો
  2. Gyanvapi ASI Survey Report:ઈટીવી ભારત પાસે એક્સક્લૂઝિવ તસ્વીરો, જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.