ETV Bharat / bharat

Gyanvapi ASI Survey Report:ઈટીવી ભારત પાસે એક્સક્લૂઝિવ તસ્વીરો, જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 11:52 AM IST

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટ મામલે ETV ભારતને મળેલી એક્સક્લુઝિવ તસવીરોમાં જુઓ સત્ય. ASI ટીમ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં આ તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat

વારાણસી: 21 જુલાઈ 2023 ના રોજ જ્ઞાનવાપી સંકૂલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આપવામાં આવેલા આદેશને અનુસરીને, સર્વેક્ષણનું કાર્ય 2 નવેમ્બર 2023ના રોજ પૂર્ણ થયું. આ રિપોર્ટ 18 ડિસેમ્બર 2023ના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે આ આખું સત્ય 24 જાન્યુઆરી 2024ના રોજ બહાર આવ્યું, ત્યારે બધા કહી રહ્યા છે કે આવું થવાનું જ હતું.

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો

સૌથી મોટી વાત એ છે કે ETV ભારત આપને એક્સક્લુઝિવ તસવીરો પણ બતાવવા જઈ રહ્યું છે જે રિપોર્ટની અંદર ASIની ટીમ દ્વારા આપવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે ભગવાન શંકરની તૂટેલી મૂર્તિ, ભગવાન વિષ્ણુનું શિવલિંગ, ભગવાન ગણેશની તૂટેલી મૂર્તિના અવશેષો છે. ભગવાનની મૂર્તિના તૂટેલા હાથ અને અંદરના થાંભલાઓની તસવીરો સાથે અરબી અને ફારસી ભાષામાં લખેલા મંત્રો તેમજ અન્ય વસ્તુઓ પણ મળી આવી છે જે સ્પષ્ટ કરે છે કે સત્ય શું છે.

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના 839 પાનાના રિપોર્ટના પાના જ્યારે ખુલવા લાગ્યા છે ત્યારે વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી છે. આ રિપોર્ટ સિવાય, અંદરથી મળી આવેલા 200 થી વધુ અવશેષો પણ સર્વેક્ષણ ટીમ દ્વારા જિલ્લા અધિકારી, વારાણસીને સુપરત કરવામાં આવ્યા છે. ETV ભારતને તૂટેલી મૂર્તિઓ, તૂટેલા અવશેષો, પત્થરો, તૂટેલી કલાકૃતિઓ વગેરે અંગેની માહિતીનો નાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. જેમાં બધું સ્પષ્ટ થઈ રહ્યું છે.

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો

આ તસ્વીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ગણેશની તૂટેલી મૂર્તિ, ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિ, તૂટેલા શંકર શિવલિંગની અનેક આકૃતિઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ અંદર હાજર હતી જેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમે શોધી કાઢીને સુરક્ષિત રાખી છે.

જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટમાં સમાવેશ થયેલી તસ્વીરો
  1. Gyanvapi ASI Survey Report: જ્ઞાનવાપી ASI સર્વે રિપોર્ટના 10 મહત્વના મુદ્દા, કયા આધારે કહેવાયું હતું કે મંદિર હતું મસ્જિદ નહીં
  2. Edible Dish: લ્યો હવે, મકાઈના કોટિંગવાળી ખાઈ શકાય તેવી ડિશ બનાવવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.