ETV Bharat / bharat

Farmers Protest: ખેડૂતો હવે 6 માર્ચે દિલ્હી કૂચ કરશે, 10 માર્ચે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસીને રોકશે ટ્રેન

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 10:43 PM IST

ખેડૂતો હવે 6 માર્ચે દિલ્હી કૂચ કરશે
ખેડૂતો હવે 6 માર્ચે દિલ્હી કૂચ કરશે

ખેડૂતોએ હવે 6 માર્ચે દિલ્હી કૂચને લઈને મોટી જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું છે કે, 10 માર્ચે ખેડૂતો દેશભરમાં રેલવે ટ્રેક પર બેસીને ટ્રેનો રોકશે.

ચંદીગઢ/ભટિંડા: થોડા દિવસોના શાંતિપૂર્ણ વિરોધ બાદ હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર ફરી એકવાર સંઘર્ષ જોવા મળી શકે છે. વાસ્તવમાં ખેડૂત સંગઠનોએ ફરી એકવાર દિલ્હી કૂચને લઈને મોટી જાહેરાત કરી છે.

ખેડૂતોની 6 માર્ચે દિલ્હી તરફ કૂચઃ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે માહિતી આપી છે કે, ખેડૂતો હવે 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે. ખનૌરી બોર્ડર પર મૃત હાલતમાં મળી આવેલા પંજાબના યુવા ખેડૂત શુભકરણ સિંહની પ્રાર્થનાસભા દરમિયાન મંચ પરથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

10 માર્ચે રોકશે ટ્રેન: ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે 10 માર્ચે ખેડૂતો બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દેશભરમાં રેલવે ટ્રેક પર બેસીને ટ્રેનો રોકશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પંજાબ સરકાર પાસે માંગ કરશે કે આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોના મામલામાં અલગથી એફઆઈઆર દાખલ કરવામાં આવે.

"સરકારે પાકિસ્તાન-ચીન જેવી સરહદ બનાવી": ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે દેશભરના ખેડૂતોને પોત-પોતાના સાધનોથી દિલ્હી માટે કૂચ કરવાની અપીલ કરી છે. ભલે તેઓ ટ્રેનથી આવે અથવા બસ કે ફ્લાઈટ દ્વારા આવે. આ દરમિયાન સરવન સિંહ પંઢેરે સરકાર પર આરોપ લગાવ્યો કે, હરિયાણા-પંજાબ બોર્ડરને પાકિસ્તાન-ચીન બોર્ડર જેવી બનાવી દેવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે પંજાબ-હરિયાણાની બોર્ડર પર દિવાલો ઉભી કરવામાં આવી છે.

  1. Farmer Protest: 29મી ફેબ્રુઆરી સુધી સરકારને અલ્ટીમેટમ, જો કોઈ ઉકેલ નહીં આવે તો દેશભરના ખેડૂતો 14મી માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજશે
  2. Farmers Protest Update: હરિયાણાના તમામ 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.