રાજકોટઃ સોમવારે વિક્રમ સંવતનું નવુ વર્ષ થયું છે, ત્યારે સૌકોઈ એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાના પરિવાર સાથે કાઠિયાવાડ અનાથ આશ્રમના બાળકોને મીઠાઈ અને ગિફ્ટ આપ્યા હતી. આ સાથે મનોજ અગ્રવાલે અંબા સાથે પણ સમય વિતાવ્યો હતો.