પોરબંદર: કોરોનાકાળ બાદ આ નવરાત્રીમાં સરકારે શેરી ગરૂબાની મંજૂરી આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીઓ લોકો ગરબા રમતા જોવા મળી રહ્યાં છે, ત્યારે પોરબંદરમાં પણ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો. આઠમા નોરતે પણ લોકોએ એ જ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.