પોરબંદરઃ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ભાઇ ધડુક મતગણતરીમાં આગળ હોવાથી જીત તરફ દેખાઈ રહ્યાં છે. ત્યારે રમેેશ ધડુક આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યો. મતગણતરી પત્યા બાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા સંબોધી વિજય વિશ્વાસ રેલી પોરબંદર થઈ ધોરાજી કુતિયાણા અને ગોંડલ સુધી સર્વે ભાજપ કાર્યકર્તાઓ સાથે રહી આયોજન કરાયું છે. ત્યારબાદ ગોંડલમાં પણ એક જાહેર સભાનું આયોજન કરાયું છે તેવું રમેશભાઈ ધડુકે જણાવ્યું છે.