ગુજરાત

gujarat

કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાતને પ્રવાસીઓએ વધાવ્યો

By

Published : Jun 6, 2021, 8:19 PM IST

નર્મદાઃ PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે. કેવડિયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હતો. તે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે, ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે. કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડિયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details