ગુજરાત

gujarat

મહેસાણામાં સી.આર.પાટીલનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું

By

Published : Sep 5, 2020, 1:13 PM IST

મહેસાણા: જિલ્લામાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ પહેલી વાર મહેસાણા જિલ્લામાં ઊંઝાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ઊંઝા APMC ખાતે પહોંચેલા સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં દિલ્લીને ઠગોનું નગર ગણાવી દિલ્લી સરકાર સામે પણ ઠગ સરકાર હોવાનું વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. નવનિયુક્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષનુ આ નિવેદન ભારે ચર્ચામાં સપડાયું છે. જ્યારે વિસનગર તાલુકાના ભાંડું ગામે પહોંચતા સ્વાગતની તૈયારીઓમાં હાજર મહિલાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. ત્યાં સવાલ એ પણ ઉભા થયા છે કે, શું નેતાના કાર્યક્રમમાં સામાજિક અંતર અને નિયમોની એસી તેસી સામે કેમ કોઈ સરકારની ગાઈડલાઈનનો અમલ કરવવામાં આવતો નથી. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ દર્શાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details