અમદાવાદના નંદનવન આવાસ યોજનામાં અસામાજિક તત્વનો આતંક ( anti-social elements) જોવા મળ્યો છે. બાઈક પર આવેલા યુવાનોએ નિર્ણનગર વિસ્તારમાં 40થી વધારે વાહનોમાં તોડફોડ કરી હતી, તો સાથે જ ATMને પણ નુકસાન પહોંચાડ્યુ હતું, એટલુ જ નહી અસામાજિક તત્વો દ્વારા લોકને પણ માર મારવામાં આવ્યો અને પીડિતોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Civil Hospital Ahmedabad) ખસેડવામાં આવ્યા છે. 20થી વધુ યુવાનો બાઈક પર સવાર થઈને લાકડી, હોકી, અને તલવાર સાથે આવ્યા હતા, તેમજ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.