ગુજરાત

gujarat

અમદાવાદમાં 500 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ: મુખ્ય કારોબારી અધિકારી ઔડા

By

Published : Sep 12, 2019, 9:14 PM IST

અમદાવાદઃ શહેરના બિસ્માર રસ્તાઓને લઈને એક તરફ ભાજપના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને કેબિનેટ પ્રધાન આઇ.કે.જાડેજા એ સવાલો ઉઠાવ્યા છે કે, હાલમાં બોપલ ચોકડીથી લઈને શાંતીપુરા ચોકડી વચ્ચે બે જંકશન પર કામ ચાલી રહ્યું છે. બ્રિજના કામને લઈને અનેક મહિનાઓથી રસ્તો બંધ કરીને ટ્રાફિકને સર્વિસ રોડ પર કરાયું છે. એક સાથે બે જંકશન પર રસ્તો બંધ કરી દેવાતા સવાર અને સાંજે લોકોને સામનો કરવો પડી રહ્યો છે. અને આ કામ google ગતિથી ચાલી રહ્યું છે. એવા સમયે આજના મુખ્ય કારોબારી અધિકારી આઇ.કે.જાડેજા એ જણાવ્યું છે કે, શાંતિપુરા સર્કલ પાસે વરસાદને કારણે સર્વિસ રોડની ત્રણ દિવસથી રી સર્ફિંગની કામગીરી સઘન રીતે કરવામાં આવી છે. રસ્તાની નહીં વાહન વ્યવહારને કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે તેની ખાસ તકેદારી વડા દ્વારા રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details