Somnath Mahadev: સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો સૂકા મેવાનો શણગાર, શિવભક્તોએ કર્યા દર્શન
Published : Sep 6, 2023, 6:40 AM IST
સોમનાથ: શ્રાવણ મહિના દરમિયાન દેવાધિદેવ સોમનાથ મહાદેવને વિવિધ શણગાર થકી ઔલોકિક કરવામાં આવી રહ્યા છે. શ્રાવણ વદ છઠના દિવસે સોમનાથ મહાદેવને સૂકા મેવાનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તો ભાવવિભોર થયા હતા. મહાદેવના શણગારમાં તમામ પ્રકારના સુકા મેવાને શણગારને અનુરૂપ પસંદ કરીને રાખવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવાની સાથે તેમના શણગારનું પણ વિશેષ ધાર્મિક મહત્વ શિવપુરાણ સાથે જોડાયેલા અનેક ધર્મ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ આજે સોમનાથ મહાદેવને સૂકા મેવાનો શણગાર કરવામાં આવ્યો હતો.