ગુજરાત

gujarat

Jagannath Rathyatra 2022: રથયાત્રાના કારણે આ વૈકલ્પિક રૂટથી થઈ શકશો પસાર

By

Published : Jul 1, 2022, 9:45 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Jagannath Rathyatra 2022) નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે વહેલી સવારે ટ્રાફિક JCP મયુરસિંહ ચાવડા મંદિરે પહોંચ્યા હતા અને ટ્રાફિક (Road closed to Ahmedabad Rathyatra) રસ્તાઓ બંધ છે કે નહીં તેની ખુદ સ્થળ તપાસ કરી હતી. જ્યારે લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક વૈકલ્પિક રૂટો પણ જાહેર (Jagannath Rathyatra roads closed) કરવામાં આવ્યા છે. જ્યારે અમુક રસ્તાઓ રથયાત્રા પસાર થયા પછી ગણતરીની મિનિટો અથવા તો કલાકો બાદ શરૂ કરવાની જાહેરાત પણ અમદાવાદ શહેર પોલીસના ટ્રાફિક કમિશનર મયુરસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું.
Last Updated :Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details