ગુજરાત

gujarat

અંબિકા નદીમાં પુર આવતા દેવધા ગામના 150 ઘરોમાં પાણી ઘૂસ્યાં

By

Published : Aug 2, 2022, 3:51 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

નવસારીઃ જિલ્લામાં પડેલા વરસાદને કારણે જિલ્લાની તમામ (Rain In Gujarat)નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ગણદેવી અને ચીખલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત (Ambika river floods )થયો છે. અંબિકા નદીના કાંઠે આવેલું દેવધા ગામના વલ્લભ ફળિયાનાં આદિવાસીઓના 150 ઘરોમાં 6 ફૂટથી વધુ પાણી( Rain in Navsari )ભરાતા સેંકડો લોકો પ્રભાવિત થયા હતા. જેમને તાત્કાલિક ગામની શાળામાં આશરો લેવો પડ્યો હતો. જ્યારે કેટલાક પોતાના જીવ બચાવવા ઘરના છાપરે ચઢી ગયા હતા. આ વિસ્તાર નદીની બાજુમાં જ હોય છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસીઓએ પુરનો સામનો કરવો પડે છે. વર્ષોથી આવાસની માંગ હોવા છતાં આવાસ ફાળવવા છતાં બનતા ન હોવાની ફરીયાદો છે.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details