ગુજરાત

gujarat

નર્મદાના 9 દરવાજાઓ ખોલવામાં આવ્યા, કરજણ ડેમ ઓવરફ્લો

By

Published : Sep 29, 2021, 1:02 PM IST

Updated : Sep 29, 2021, 1:42 PM IST

કરજણ ડેમના ઉપરવાસમાં અવિરત વરસાદ પાડવાના કારણે કરજણ ડેમમાં 1 લાખ 63 હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 9 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેથી કરજણ નદી બે કાંઠે વહી રહી છે. કરજણ ડેમના 9 દરવાજા માંથી 1 લાખ 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કરજણ ડેમની જળ સાપટિ 115 ફુટ ને પાર થઈ જતા પાણી છોડવાની ફરજ પડી હતી. જોકે ડેમ તંત્ર દ્વારા એક કલાક પેહલા જાણ કરીને પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજપીપલા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી.જેને કારણે રાજપીપલા અને રામગઢ ને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણુ થઈ ગયું છે ગ્રામજનો પાણી ઓસરે તેની રાહ જોઈને બેઠા છે.
Last Updated : Sep 29, 2021, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details