ગુજરાત

gujarat

સરીગામ GIDC ના ઔદ્યોગિક એકમોમાં ઘુસ્યા વરસાદી પાણી, પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ

By

Published : Jul 1, 2019, 2:23 AM IST

વાપીઃ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાના બનાવો વચ્ચે સરીગામ GIDC અને સરીગામ ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ બનતા ઉદ્યોગકારો અને રહેવાસીઓમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીને લઈને રોષ જોવા મળ્યો હતો. તો આ તરફ વાપીમાં પણ જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ પરેશાનીનો સામનો કર્યો હતો.

vapi

રવિવારે ફરી એકવાર વાપી પંથકમાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ ખાબકતા વાપીના તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. વાપીમાં જલારામ મંદિર પરિસરમાં પણ પગથિયાં સુધી પાણી ભરાયા હતા. જ્યારે બાજુની સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

સરીગામ GIDC ના ઔદ્યોગિક એકમોમાં ઘુસ્યા વરસાદી પાણી, પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ

જો કે, રવિવારના વરસાદમાં સરીગામ GIDCના ઉદ્યોકારોએ પારાવાર મુશ્કેલી સહન કરવી પડી છે. સરીગામ GIDCમાં થોડા દિવસ પહેલા જ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવ્યા બાદ મોટાભાગમાં એકમોમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે.

સરીગામ GIDC ના ઔદ્યોગિક એકમોમાં ઘુસ્યા વરસાદી પાણી, પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ

ઉદ્યોગકારોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઇડ દ્વારા વરસાદ પહેલા પ્રિમોન્સૂન કામગીરી કર્યા બાદ પણ આ કામગીરી યોગ્ય રીતે નહીં કરતા આ પાણી ભરાયા છે અને મોટું નુકસાન થયું છે. આશા રાખીએ કે, તંત્ર આ માટે આગામી દિવસોમાં તમામ વરસાદી પાણીની ગટર અને પાણીના અવરોધો દૂર કરશે નહીં તો આ ચોમાસામાં ઉદ્યોગકારોને મોટું નુકસાન સહન કરવાનો વખત આવશે.

સરીગામ GIDC ના ઔદ્યોગિક એકમોમાં ઘુસ્યા વરસાદી પાણી, પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ

સરીગામ GIDC ઉપરાંત સરીગામ ગામમાં પણ મુખ્ય બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં. ગામમાં મોટાભાગના બંગલામાં અને એપાર્ટમેન્ટમાં ઘૂંટનણ સમા પાણી ભરાયા ગયા હતા. જેનો નિકાલ કરવા માટે લોકો જાતે જ વરસતા વરસાદમાં કામે લાગ્યા હતા.

સરીગામ GIDC ના ઔદ્યોગિક એકમોમાં ઘુસ્યા વરસાદી પાણી, પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ
Intro:વાપી :- વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાવાના બનાવો વચ્ચે સરીગામ GIDC અને સરીગામ ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ બનતા ઉદ્યોગકારો અને રહેવાસીઓમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીને લઈને રોષ જોવા મળ્યો હતો. તો આ તરફ વાપીમાં પણ જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભારતા લોકોએ પરેશાનીનો સામનો કર્યો હતો.Body:રવિવારે ફરી એકવાર વાપી પંથકમાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ ખાબકતા વાપીનો તમામ વિસ્તાર પાણીમાં ગરક રહ્યો હતો. વાપીમાં જલારામ મંદિર પરિસરમાં પગથિયાં સુધી પાણી ભરાયા હતા. જ્યારે બાજુની સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.


જો કે રવિવારના વરસાદમાં સરીગામ GIDC ના ઉદ્યોકારોએ પારાવાર મુશ્કેલી સહન કરવી પડી છે. સરીગામ GIDC માં થોડા દિવસ પહેલા જ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવ્યા બાદ મોટાભાગમાં એકમોમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. ઉદ્યોગકારોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઇડ દ્વારા વરસાદ પહેલા પ્રિમોન્સૂન કામગીરી કર્યા બાદ પણ આ કામગીરી યોગ્ય રીતે નહીં કરતા આ પાણી ભરાયા છે. અને મોટું નુકસાન થયું છે. આશા રાખીએ કે તંત્ર આ માટે આગામી દિવસોમાં તમામ વરસાદી પાણીની ગટર અને પાણીના અવરોધો દૂર કરે નહીં તો આ ચોમાસામાં ઉદ્યોગકારોને મોટું નુકસાન સહન કરવાનો વખત આવશે.

Conclusion:સરીગામ GIDC ઉપરાંત સરીગામ ગામમાં પણ મુખ્ય બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં. ગામમાં મોટાભાગના બંગલામાં અને એપાર્ટમેન્ટમાં ઘૂંટનણસમાં પાણી ભરાયા હતા. જેનો નિકાલ કરવા લોકો જાતે જ વરસતા વરસાદમાં કામે લાગ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details